Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવિતી: ATMમાં પૈસા નથી, દુકાનો અને મોલ પણ ખાલી

Webdunia
શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (09:58 IST)
દેશના અનેક રાજ્યોની જેમ ગુજરાતના પાટણ શહેરના 30થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. એવામાં હવે તેમના માતા-પિતા ચિંતિત છે અને સરકારને તેમના વતન પરત કરવાની વિનંતી કરી રહ્યા છે. 30થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનના કિવ, ટેર્નોપિલ, ઓડિશા, વેનિસ અને ખાર્કિવ સહિત વિવિધ રાજ્યોમાં ફસાયેલા છે.
 
યુક્રેનમાં ભણતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે અહીં લગભગ એક મહિનાથી યુદ્ધ જેવી સ્થિતિ છે. પરંતુ, તેમ છતાં કોલેજના સંચાલકોએ ધ્યાન આપ્યું ન હતું. વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ રાખી, જેથી વિદ્યાર્થીઓ યોગ્ય સમયે વતન પરત ફરી ન શક્યા. હવે દેશમાં બધુ બંધ છે અને હાલમાં અમે ઘરની બહાર પણ નથી નીકળી શકતા. અહીંની દુકાનો અને મોલ ખાલી થઈ રહ્યા છે. એટીએમ મશીનોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. મોટાભાગના ATMમાં પૈસા બચ્યા નથી. બોમ્બ ધડાકાને કારણે હવે વીજ પુરવઠો ખોરવાઈ જવાનો ભય છે. જો આમ થશે તો આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરી શકીશું નહીં અને મોટાભાગનો કોમ્યુનિકેશન ખોવાઈ જશે.
 
તો બીજી તરફ એક વિદ્યાર્થીના પિતા કૌશિકભાઈ દેસાઈએ કહ્યું - 'મારો પુત્ર તબીબી અભ્યાસ માટે યુક્રેનમાં છે.' આજે સવારે વાત કરતા તેમણે કહ્યું કે અહીંનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે તેની રિટર્ન ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ છે. અહીં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. થોડા દિવસોમાં ખાવા-પીવાની સમસ્યા પણ થશે. ATMમાં પૈસા ન હોવાને કારણે બાળકો પાસે ખર્ચ કરવા માટે પણ પૈસા બચ્યા નથી. પુત્રની આ ચિંતા અંગે કૌશિકભાઈએ જણાવ્યું હતું કે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈપણ ભોગે અમારા બાળકોને પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવે.
 
અન્ય એક વિદ્યાર્થીના પિતા બિરેનભાઈ પટેલે કહ્યું- અમે જાણીએ છીએ કે આવી સ્થિતિમાં બાળકોને પાછા લાવવું શક્ય નથી. આવી સ્થિતિમાં, સરકારે તેમને તેમના સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની વ્યવસ્થા કરવી જોઈએ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા વિનંતી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments