Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુથ કી આવાઝ યુવા ચેન્જમેકર્સને કલાયમેટ ચેન્જ ક્ષેત્રે કામ કરવા તાલિમ આપશે

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (11:06 IST)
અમદાવાદ : એવા સમયે કે જ્યારે કિશોર વયની સ્વીડીશ પર્યાવરણ અક્તિવીસ્ત ગ્રેટા થનબર્ગ  કલાયમેટ ચેન્જ સામે આકરાં પગલાં ભરવા દુનિયા ભરના દેશો ને આહ્વાન કરી રહી છે, ત્યારે યુથ કી આવાઝે યુવા ચેન્જ મેકર્સને કલાયમેટ ચેન્જ સામે કામ કરવા માટે પ્રેરવા  અને ત્રીન કરવા  ઝુંબેશ હાથ ધરી છે.
 
#વહી ઓન એઅર્થ (why on earth) નામની ચાર મહીની  ની  ઝુંબેશમાં યુવા ચેન્જ મેકર્સને તાલિમ આપવામાં આવશે. જેથી તે કલાઈમેટ ચેન્જ અને પર્યાવરણન જાળવણી અંગે જાગરૂકતા પેદા કરવાની કામગીરી બજાવી શકે.
 
"યુથ કી આવાઝ ના સ્થાપક અંશુલ તેવારી જણાવે છે  કે કલાઈમેટ ચેન્જને હંમેશ કરતાં વધુ ગંભીરતાથી લેવાનો હાલ સમય છે. યુવા સમુદાય દુનિયાભરમાં ક્લાયમેટ એકશન માટેની ચળવળની આગેવાની લઈ રહ્યો છે અને ભારતમાં કરોડો બાળકો તેમના ભાવિ અંગે ચિંતિત છે અને  સરકાર ક્લાઈમેટ ચેન્જ અંગે પગલાં ભરે તેની અપેક્ષા  કરી રહ્યા છે. યુવા સમુદાય સાથે કામ કરવુ ખૂબ જ મહત્વનુ છે અને #વહી ઓન એઅર્થ (WhyOnEarth) આ દિશામાં  પગલુ ભરે છે. અમે યુવાનો સાથે જોડાઈને તેમને આ  મહત્વ ના મુદ્દા અંગે જાગૃતિ પેદા કરવા તાલિમ આપીશું. ”
 
ગયા સપ્તાહે યુથ કી આવાઝ અને અમદાવાદ સ્થિત સંસ્થા સૌહાર્દે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે  કલાયમેટ ચેન્જ અંગે ચર્ચા કરવા અને કલાયમેટ એકશનની જરૂરિયાત બાબતે  “કનવર્ઝ” સમારંભનું આયોજન કર્યું હતું. આ સમારંભમાં કલાયમેન્ટ ચેન્જની સમસ્યા હલ કરવા માટે ઉપાયો હાથ ધરવા અને વિચારો રજૂ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
 
વકતાઓએ કલાયમેટ ચેન્જનાં વિવિધ  પાસાં  કેન્દ્રમાં રાખીને નબળા વર્ગો પર તેની અસર, નાગરિકો અને સમુદાયની સક્રિયતા, શહેરોમાં બહેતર રીતે કચરો છૂટો પાડવાની જરૂરિયાત, દેશની જીડીપી ઉપર કલાયમેટ ચેન્જન સંબંધી પ્રવૃત્તિઓની થતી આર્થિક અસર તથા બદલાતા હવામાન સામે ટકી રહેવા શું કરવુ જોઈએ તે  અંગે તથા  સરકારી કામગીરી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments