Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોરિસ જોનસનની ભારત મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મહત્ત્વની કેમ છે?

Webdunia
મંગળવાર, 19 એપ્રિલ 2022 (08:52 IST)
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન આ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. વડા પ્રધાન બન્યા પછી બોરિસ જોનસન પહેલી વાર ભારત આવી રહ્યા છે અને તેમની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે.
 
ઉલ્લેખનીય છે કે બોરિસ જોનસનની અગાઉની ભારતની મુલાકાતો કોરોના સંકટને કારણે રદ થઈ હતી.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, બોરિસ જોનસન ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ પીએમ બનવા જઈ રહ્યા છે અને તેની શરુઆત અમદાવાદથી થશે.
 
બોરિસ જોનસનની ભારત મુલાકાત દરમિયાન સંરક્ષણ અને કારોબારને લઈને ખાસ વાતચીત થઈ શકે છે.
 
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન આ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. વડા પ્રધાન બન્યા પછી બોરિસ જોનસન પહેલી વાર ભારત આવી રહ્યા છે અને તેમની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે.
 
ઉલ્લેખનીય છે કે બોરિસ જોનસનની અગાઉની ભારતની મુલાકાતો કોરોના સંકટને કારણે રદ થઈ હતી.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, બોરિસ જોનસન ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ પીએમ બનવા જઈ રહ્યા છે અને તેની શરુઆત અમદાવાદથી થશે.
 
બોરિસ જોનસનની ભારત મુલાકાત દરમિયાન સંરક્ષણ અને કારોબારને લઈને ખાસ વાતચીત થઈ શકે છે.
 
ભારત પ્રવાસ અગાઉ બોરિસ જોનસને કહ્યું કે, "દુનિયાની શાંતિ અને સમૃદ્ધિ પર તાનાશાહી સરકારોનો ખતરો તોળાઈ રહ્યો છે અને એટલે જ એ જરૂરી છે કે દુનિયાનાં લોકશાહીમાં માનનારા દેશો એકમેક સાથે દોસ્તી જાળવી રાખે એ જરૂરી છે."
 
એમણે કહ્યું કે, "ભારત એક મહત્ત્વની આર્થિક શક્તિ છે અને દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આ અનિશ્ચિત સમયમા તે બ્રિટનનું મહત્ત્વનું રણનૈતિક સાથીદાર પણ છે."
 
તેમણે કહ્યું કે, "મારી ભારત મુલાકાત ભારત અને બ્રિટન બેઉ દેશો માટે મહત્ત્વના વિષયો સાથે સંબંધિત છે. આ નોકરીઓ ઊભી કરવાથી લઈને આર્થિક પ્રગતિ, ઊર્જા સુરક્ષા અને સંરક્ષણ બાબતો સાથે સંકળાયેલી છે."
 
ગુજરાતની મુલાકાત
અમદાવાદમાં, બ્રિટિશ પીએમ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે.
 
ડાઉનિંગ સ્ટ્રીટના નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિશ પીએમ ગુજરાતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે.
 
જેમાં ઘરઆંગણે નોકરીઓ અને વિકાસને વેગ મળશે, તેમજ અત્યાધુનિક વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનૉલૉજી પર નવા સહયોગની જાહેરાત કરવામાં આવે તેવી ધારણા છે.
 
ઉલ્લેખનીય છે કે ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય ગુજરાત, યુકેમાં લગભગ અડધી બ્રિટિશ-ભારતીય ડાયસ્પોરા વસતિનું ઘર છે.
 
ગુજરાત બાદ બોરિસ જોનસન 22 એપ્રિલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. જ્યાં બંને દેશો સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ડાઉનિંગ સ્ટ્રીટ અનુસાર તેઓ તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે ઉંડાણપૂર્વકની ચર્ચા કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments