Webdunia - Bharat's app for daily news and videos

Install App

'મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? વડા પ્રધાન જવાબ આપે'

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (17:51 IST)
અગાઉ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપની સરકાર સામે પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના સંસંદસભ્ય પદ રદ થવા વિશે પણ વાત કરી.
 
તેમણે કહ્યું, ‘ભાજપની સરકાર દેશમાં તાનાશાહી શાસન લાવી છે. કોઈ પણ વ્યક્તિ વિરોધ ન કરી શકે એવી સ્થિતિ લાવી દેવાઈ છે. દેશમાં મિત્રકાળ ચાલે છે અને એમાં અદાણી જેવા મિત્રને ઍરપૉર્ટ, પૉર્ટ સહિતના આર્થિક લાભ નીતિ નિયમો નેવે મૂકીને આપવામાં આવે છે.’
 
‘મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એ મિત્રોના પ્લૅનમાં ફર્યાં હતા.’
 
‘એટલે આઝાદી પહેલા જેમ ગાંધીજીનું નેતૃત્ત્વ મળ્યું. અહિંસક રીતે લાંબી લડાઈ અંગ્રેજો સામે લડાઈ.’
 
‘એવી જ રીતે રાહુલ ગાંધી યુવાઓ, ખેડૂતો, મહિલાઓના અન્યાય અને અધિકારો મામલે અવાજ બન્યા છે.’
 
‘એટલે સામાજિક, રાજકીય આર્થિક મુદ્દે જ્યારે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે ત્યારે તેમનો અવાજ દબાવવાની કોશિશ થાય છે.’
 
‘રાહુલ ગાંધીએ સંસદમાં અદાણી મુદ્દે તપાસની માગણી કરી હતી. જેપીસી તપાસની માગણી નથી સ્વીકારાઈ.’
 
‘ખરેખર બોલી ન શકે એટલે રાહુલ ગાંધી સામે વિવિધ રાજ્યોમાં ખોટા કેસો ઊભા કરવામાં આવ્યા.’
 
‘સુરતના કેસની વાત કરીએ તો એક રાજ્યમાં કેસ બીજામાં કેસ થયો. એ પહેલાં તપાસ થવી જોઈતી હતી. વળી બીજી બાજુ ફરિયાદી સુનાવણી સમયે હાઈકોર્ટમાં જાય છે અને કેસ વિલંબમાં જાય છે. એ દરમિયાન જજની બદલી થઈ જાય છે. પછી ફરિયાદીપક્ષ હાઈકોર્ટનો સ્ટે ઉઠાવી લેવા જાતે જ કહે છે. અને પછી નવા જજ આવે છે અને ચુકાદો આવે છે અને તેમને સજા થાય છે.’
 
‘મેહુલ ચોક્સી, અદાણી જેવા મોટા માથા અને લલિત કે નીરવ મોદી હોય તેમના સંબંધિત વિવાદો સામે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે છે.’
 
‘રાહુલ ગાંધી સમાજની સેવા કરવા માગે છે એના માટે સંસદ હોવું જરૂરી નથી એ રાહુલ ગાંધી પહેલા જ કહી ચૂક્યા છે.‘
 
‘પણ દેશના વડા પ્રધાન જવાબ આપે કે એમના અને અદાણી વચ્ચે શું સંબંધો છે?’
 
‘અમે ન્યાયિક લડાઈ લડતા રહીશું. પણ શાસકપક્ષે લોકોને અવાજ કેમ દબાવાય છે એનો જવાબ આપવો પડશે.’

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments