Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરારી બાપુ પર થયેલા હૂમલાના વિરોધમાં મહુઆ અને વિરપુર સજ્જડ બંધ

Webdunia
શનિવાર, 20 જૂન 2020 (13:14 IST)
દ્વારકા ખાતે મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શુક્રવારે આ મામલે તલગાજરડા સજ્જડ બંધ રહ્યું હતું. આજે આ મામલે મહુવા અને વિરપુર જલારામ સજ્જડ બંધ રહ્યા છે. શુક્રવારે મહુવામાં પાલિકા, શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલ, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સહિત 211 જેટલા લોકોની બેઠક મળી હતી. જેમાં શનિવારે મહુવા સજ્જડ બંધ રાખવાનો ઠરાવ કરાયો હતો. બીજી તરફ વિરપુરમાં જલારામ બાપુના પરિવારના લોકોએ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની બનાવને વખોડી કાઢ્યો છે.
closed virpur

મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસ મામલે આજે મહુવા સજ્જડ બંધ રહ્યું છે. આજે સાધુ સમાજ તરફથી તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં પબુભા માણેક તલગાજરડા આવીને બાપુની માફી માંગે તેવી માંગણી કરવામાં આવશે. જો તેઓ માફી ન માંગે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધને પગલે શનિવારે વિરપુર જલારામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને આજે વિરપુર સજ્જડ બંધ રહ્યું છે. વિરપુર મંદિર દ્વારા મોરારિબાપુ પર દ્વારકામાં હુમલાના પ્રયાસને વખોડી કાઢવામાં આવ્યો છે. જલારામ બાપાના પરિવારે આ કૃત્યને વખોડી કાઢ્યું છે.આજે આ વાતનો વિરોધ કરવા માટે વિરપુરમાં તમામ વેપારીઓ અને ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. આજે તમામ દુકાનો અને ધંધા બંધ રહ્યા છે. એટલું જ નહીં વિરપુરના ગ્રામજનો તરફથી આજે રાજકોટને કલેક્ટરને આવેદનપત્ર આપીને પબુભા માણેક સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments