Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિકાસ ગાંડો થયાના કેમ્પેન બાદ ભાજપના અનેક મંત્રીને ચૂંટણી લડવામાં રસ નથી

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (12:22 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે કયાં પક્ષને સત્તા મળશે તેનું ચિત્ર હજુ સ્પષ્ટ થતું નથી. એવામાં સોશિયલ મીડિયામાં ચાલેલું વિકાસ વિરોધી કેમ્પેન વિકાસ ગાંડો થયો છે તેનાથી ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. જેથી હવે સત્તાધારી ભાજપનાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યોને આ વખતની ચૂંટણી લડવામાં કોઇ રસ રહ્યો નથી. નિરીક્ષકો સેન્સ લેવાનું શરૃ કરશે ત્યારે તેઓ દાવેદારી કરવાને બદલે 'મારે ટિકિટ નથી જોઇતી' એવું કહેશે તો કોઇને નવાઇ નહીં લાગે. રાજ્યકક્ષાના પંચાયત મંત્રી જયંતિ કવાડીયાએ મોવડીઓ સમક્ષ ચૂંટણી લડવાને બદલે સંગઠનમાં કામ કરવાની વધુ ઈચ્છા હોવાનું કહ્યું છે. સૂત્રો જણાવે છે કે, આગામી દિવસોમાં ભાજપનાં કેટલાક સીનિયર ધારાસભ્યો અને મંત્રીઓ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવું પક્ષને કહી શકે છે. ઉપરાંત ૭૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય અને ચારથી વધુ ટર્મથી જીતતા હોય છતાં તેમનો દેખાવ નબળો હોય તેવા ધારાસભ્ય-મંત્રીઓને ભાજપ ટિકિટ આપવાનો નથી. આવા મંત્રી-ધારાસભ્યોએ પોતાના પરિવારનાં કોઇ સભ્યને ટિકિટ મળે તેવી ગોઠવણ કરી છે. ભાજપનાં નારણ પટેલ, પરબત પટેલ, નરોતમ પટેલ અને મંગુભાઇ પટેલ જેવા અનેક ધારાસભ્યો ૭૦થી ૭૫ વર્ષથી વધુ ઉંમરના છે. જેમાંથી મોટાભાગના મંત્રી રહી ચૂક્યા છે. આમાંથી કેટલાક વયોવૃધ્ધ ધારાસભ્યોને હજુ ચૂંટણી લડવાનાં ઓરતા છે જ. તેઓ નવા ચહેરાઓને તક આપવાના મતમાં નથી. ૨૦૧૨માં 'નો રીપિટ' થીયરીનો નહિવત રીતે અમલ કરાયો હતો. તેને લીધે જેમને ટિકિટ મળવાની નહોતી તેવા કેટલાય ધારાસભ્યો ફાવી ગયા હતા. પણ આ વખતે સ્થિતિ જુદી છે. મોટાભાગના વર્તમાન ધારાસભ્યો સામે ટિકિટ મેળવવાનું જ જોખમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments