Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ'નાં કારણે સ્થળાંતરિત થયેલા 2.45 લાખ લોકોને મળશે સહાયઃ વિજય રૂપાણી

Webdunia
શુક્રવાર, 14 જૂન 2019 (18:07 IST)
અરબી સમુદ્વમાં ઉદ્ભવેલું વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાશે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે . રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 48 કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૃપાણી વાવાઝોડાની પરિસ્થિતીનુ સ્ટેટ ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જયાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહી ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે.સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, 'પોણા ત્રણ લાખ વિસ્થાપિત લોકોને સહાય કરવામાં આવશે. લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા તેમને કેશ ડોલ સ્વરૂપે ફાળવવામાં આવશે. જેમાં બાળકોને 45, મોટાઓને 60 રૂપિયા, ત્રણ દિવસ પેટે આપવામાં આવશે' સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, 'ગુજરાત પરનો ખતરો પૂર્ણ થયો છે. બપોર પછી ત્યાં પહોંચેલા બધા અધિકારીઓને પરત બોલાવવામાં આવશે. આવતીકાલ સુધીમાં બધા જ તંત્ર રાબેતા મુજબ શરૂ થઇ જશે. ભગવાનનાં આશીર્વાદથી બધું બરાબર છે.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments