Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને કહ્યું ‘Govt of India Pvt.Ltd’ હવે દૂર નહી...!

Webdunia
શનિવાર, 6 માર્ચ 2021 (19:07 IST)
સરકારી કંપનીઓના ખાનગીકરણને લઇને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. બાપૂએ કેન્દ્ર સરકારની તુલના ખાનગી કંપની સાથે કરી એક ટ્વિટ પણ કર્યું છે. જેની રાજકીય વર્તુળમાં ખૂબ ચર્ચા થઇ રહી છે. 
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ સરકાર દર વખતે બે લાખ નોકરી આપવાનો વાયદો કરે છે. પરંતુ વર્ષો વિતી ગયા પછી પણ હજુ સુધી યુવાનોને નોકરી મળી નથી, ખુદ સરકારના આંકડા જ સાક્ષી પુરી રહ્યા છે. સરકારે 4 વર્ષમાં ફક્ત 1 લાખ નોકરી આપી છે. જ્યારે તેમની સરકારે 1996માં ફક્ત 1 વર્ષમાં જ 1 લાખ યુવાનોને સરકારી નોકરી આપી હતી. 
 
તેમણે કહ્યું હતું કે પ્રકારે સરકારી કંપનીઓનું ખાનગીકરણ થઇ રહ્યું છે તેનાથી એવું લાગે છે કે જલદી જ સરકાર પણ ખાનગીકરણ થશે અને ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ નામથી ઓળખાશે. 
 
ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ફરી એકવાર પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરત સિંહ સોલંકીએ પણ આ નિર્દેશ આપ્યા છે કે જો પાર્ટી હાઇકમાન્ડ કહેશે તો શંકર સિંહને ફરીથી પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. બની શકે છે કે કોંગ્રેસમાં જવા માટે બાપૂએ મોદી સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો હોય અને સરકારના નિર્ણયોને લઇને ટ્વિટ કરીને પોતાને મોદી વિરોધી ગણાવવાનો પ્રયત્ન
કરી રહ્યા હોય.

<

વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો 4 લાખ થી વધુ છે અને તેની સામે સરકારી નોકરી 2 વર્ષમાં માત્ર 1777 આપી.

જો મારી સરકાર 1996 માં 1 વર્ષના ટુંકા ગાળામાં 1 લાખ સરકારી નોકરી આપી શકે તો આજની સરકાર કેમ નહીં? pic.twitter.com/TaItfcMZr7

— Shankersinh Vaghela (@ShankersinhBapu) March 6, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments