Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં જળસંકટે વધારી લોકોની મુશ્કેલી, શાકભાજી અને દૂધના ભાવ થયા બમણા

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (12:19 IST)
વડોદરા: વડોદરામાં ભારે વરસાદના કારણે જનજીવન ખરાબ રીતે અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે અને શહેરના ઘણા વિસ્તોરોમાં પાણી ભરાઇ ગયા છે. વડોદરામાં વરસાદના કારણે સામાન્ય જરૂરીયાતની વસ્તુના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારની સવારે વડોદરામાં ખાવા પીવાની વસ્તુઓ માટે લોકો લાંબી લાઇનોમાં જોવા મળી રહ્યાં છે. અહીના લોકોને અડધુ લીટર દૂધ 40 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. એટલું જ નહીં શાકભાજીના ભાવમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે.
 
એવામાં જ્યાં એક બાજુ લોકો વરસાદના પ્રકોપથી પરેશાન છે તો બીજી તરફ ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જણાવી દઇએ કે, સતત વરસાદના કારણે વડોદરાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને અહીં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
 
એટલું જ નહીં જિલ્લાના ઘણા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીમાંથી નીકળીને મગરો પણ ધસી આવ્યા છે. જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વડોદરામાં ભારે વરસાદના કારણે રેલવે અને હવાઇ મુસાફરીને પણ અસર પડી છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે વડોદરામાં ગુરવારે હવાઇ મુસાફરી પણ બંધ કરવામાં આવી હતી.
 
સતત થઇ રહેલા વરસાદના કારણે વડોદરાના વડસર ગામના કેટલાક ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારબાદ NDRFની ટીમ અને માંજલપુર પોલીસે પાણીમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યૂ કરી રાહત શિબિર સુધી પહોંચ્યા હતા. વડોદરાના મંજુસર વિસ્તારમાં સ્થિત GIDCમાં પણ વરસાદના પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ત્યાં કેટલાક મજૂરો ફસાઇ ગયા છે. GIDCમાં પાણી ભરાવવાના કારણે સમગ્ર વિસ્તાર બંધ થઇ ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments