Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે રાજ્યમાં અછત હોવા છતાં રેમડેસિવિરના 25 હજાર ઈન્જેક્શનો ઉત્તરપ્રદેશ સરકારને આપ્યા

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (22:00 IST)
કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા રાજ્યભરમાં પડાપડી થઈ રહી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે, આ વચ્ચે ગઈકાલે હોસ્પિટલે સ્ટોક ન હોવાનું કહીને રેમડેસિવિરનું વેચાણ બંધ કરી દીધું હતું. ત્યારે હવે યુપી સરકારના સ્પેશ્યલ વિમાનમાં અમદાવાદથી લખનઉમાં રેમડેસિવિરના 25,000 ઈન્જેક્શનનો જથ્થો પહોંચ્યો છે.

યુપી સી.એમ યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સ્વાસ્થ્ય અધિકારીઓને વિમાનથી અમદાવાદ મોકલ્યા છે અને દવા આજે જ લખનઉ પહોંચી જશે.ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે અમદાવાદથી રેમડેસિવિર ઈન્જેક્શનો મગાવાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર ઉત્તર પ્રદેશ માટે રેમડેસિવિર ઈન્જેક્શન લેવા લખનઉથી અમદાવાદ માટે વિમાન મોકલવામાં આવ્યું હતું,

આજે સાંજે આ વિમાન ઈન્જેક્શન લઈને લખનઉ પરત ફર્યું હતું. હજુ પણ અન્ય જગ્યાએથી રેમડેસિવિર મગાવવા માટે ઉત્તર પ્રદેશની સરકાર પ્રયાસ કરી રહી છે.ઉત્તર પ્રદેશના CMO ઓફિસ તરફથી આ મામલે આજે સવારે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સ્વાસ્થ્ય વિભાગને અમદાવાદથી 25,000 ઈન્જેક્શનનો ડોઝ તાત્કાલિક મગાવવા માટે આદેશ આપ્યો છે. આજે સાંજ સુધીમાં આ ઈન્જેક્શનનો જથ્થો રાજ્યમાં પહોંચી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments