Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, હવે 5 સપ્ટેમ્બરના રોજ નહી આવે PM મોદી

Webdunia
શનિવાર, 28 ઑગસ્ટ 2021 (10:46 IST)
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના સાણંદના શહેર પાસે નિધરાડ ગામમાં પોષણ અભિયાન હેઠળ મિઠાઇ વહેંચવાના એક કાર્યક્રમમાં ભાગ બનશે. આ અભિયાન 2022 સુધી ચાલશે. કેંદ્ર સરકારની આ યોજનાનો હેતું દેશમાંથી કુપોષણ મુક્ત કરવાનો છે. તમને જણાવી દઇએ કે 5 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હતા. તે અહીં પીએમ મોદી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટ હેઠળ લોકાર્પણ કરવાના હતા. જોકે હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે તે વર્ચુઅલી આ કાર્યક્રમમાં સામેલ થશે. 
 
અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે. ખાસકરીને અમદાવાદ જિલ્લા તથા પોતાના લોકસભા ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યોનું નિરિક્ષણ કરશે. અમિત શાહ શનિવારે સાંજે અમદાવાદ કલેક્ટર ઓફ્સિમાં જિલ્લાના વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં સામેલ થશે. દિશાનો હેતુ જિલ્લાના વિકાસ કાર્યોને લઇને ધારાસભ્યો, સાંસદો અને વહિવટીતંત્ર વચ્ચે સારો તાલમેલ બેસાડવાનો છે, જેથી કામ સુચારૂ રૂપ ચાલે છે. આ બેઠકમાં ધારાસભ્યો, કોર્પોરેશન, નગર પાલિકાઓ અને જિલ્લા પંચાયતોના પ્રમુખ સામેલ છે. તે પોતાના ત્યાં થયેલા વિકાસ કાર્યો વિશે જણાવશે. તમને જણાવી દઇએ કે અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે. અમદાવાદ જિલ્લા તથા શહેરના ઘણા ભાગ તેમના મતવિસ્તારમાં આવે છે. 
 
અમિત શાહ 29 ઓગસ્ટના રોજ દક્ષિણ પશ્વિમ ક્ષેત્રમાં અમદાવાદ નગર નિગમ દ્વારા કરવામાં આવી રહેલા વિભિન્ન વિકાસ કાર્યોની સમીક્ષા બેઠકમાં સામેલ થશે. આ બેઠક બોડકદેવ કાર્યાલય પર રાખવામાં આવી છે. સોમવારે સવારે અમિત શાહ અમદાવાદના સાણંદ પાસે નિધરાડ ગામમાં પોષણ અભિયાન હેઠળ મિઠાઇ વહેચવાના એક કાર્યક્રમમાં સામેલ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments