Webdunia - Bharat's app for daily news and videos

Install App

રમત-રમતમાં બૂટ-ચંપલની તિજોરીમાં સંતાયેલા બે બાળકોના મોત

દરેક માતા-પિતા માટે સાવચેત કરતો કિસ્સો

Webdunia
સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (11:15 IST)
વિસનગરના બોકરવાડા ગામમાં બે બાળકો રમત-રમતમાં જૂના મકાનમાં ચંપલ મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં ફસાઇ ગયા હતા. જેથી શ્વાસ રૂંધાતા જતાં તેમનું મોત નિપજ્યું હતું. તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. 
 
બોકરવાડા ગામના દિનેશભાઇ પટેલના 10 વર્ષીય પુત્ર સોહન અને 9 વર્ષીય મિત્ર હર્ષિલ મનીષ ભાઇ પટેલા સાંજે રમત-રમતમાં જૂના મકાનમાં ચંપલ મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં ફસાઇ ગયા હતા. ત્યાં કોઇ હાજર ન હતું. એટલા માટે શ્વાસ રૂધાવાના કારણે બંને બાળકોના મોત થયા હતા. 
 
બંને બાળકોને શોધી રહેલા લોકો જ્યારે જૂના ઘરમાં પહોંચ્યા તો બંને બાળકોને જોઇને ડઘાઇ ગયા હતા. તેમણે તાત્કાલિક બાળકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધી બાળકોએ જીવ ગુમાવી દીધો હતો. ઘટનાની જાણકારી પોલીસને મળતાં જ પોલીસે ઘટનામાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 
 
તપાસ કરી રહેલા પોલીસે જણાવ્યું હતું કે રમત-રમતમાં સ્લાઇડરવાળા કબાટમાં ઘૂસી ગયા. આ બહારથી જ ખુલે છે. અંદરથી ખુલી શકે નહી. તેના લીધે બાળકોનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. ઘરવાળા જ્યારે શોધતા હતા તો આગળના રૂમમાં એક બાળકના ચંપલ હતા. તેના અધારે ઘરવાળા અંદર ગયા ત્યાં બે બાળકોને મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments