Webdunia - Bharat's app for daily news and videos

Install App

છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં સિનિયર સિટીઝનો પર હુમલો થવાની કુલ 435 ઘટનાનો બની

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (10:15 IST)
રાજ્યમાં સરકાર સબ સલામતની ગુલબાંગો ફૂંકતી રહે છે. રાજ્ય સિનિયર સિટીઝનો અને મહિલાઓ માટે સુરક્ષિત હોવાનો સરકાર વારંવાર દાવો કરતી રહે છે. ત્યારે મહિલાઓ બળાત્કાર અને સિનિયર સિટીઝનો પર થયેલા હૂમલાઓના આંકડા જ રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી રહ્યાં છે. હાલમાં રાજ્યમાં વિધાનસભાનું સત્ર શરુ થયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ગુનાખોરીના આંકડાઓ રજુ કરી રહી છે. ત્યારે બળાત્કારના છેલ્લા પાંચ વર્ષમાં થયેલા 6 હજારથી વધુ બનાવો અને છેલ્લા એક વર્ષમાં સિનિયર સિટીઝનો પર થયેલા 435 હૂમલાઓના આંકડાઓ માથુ શરમથી નીચે ઝુકી જાય તેવી સ્થિતિમાં મુકનારા છે.

હજી અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુરમાં રહેતા વૃદ્ધ દંપત્તિની હત્યાની શાહી ભુસાઈ નથી. તે ઉપરાંત વેજલપુરમાં એક વૃદ્ધાની હત્યા કરી દેવાની ઘટના પણ ચર્ચામા છે. ત્યારે રાજ્ય સરકારે વિધાનસભામાં રજુ કરેલા આંકડાઓમાં મેટ્રો સિટી તરીકે જાણીતા અમદાવાદમાં જ સિનિયર સિટીઝનો પર છેલ્લા એક વર્ષમાં 41 હૂમલાની ઘટનાઓ બની હોવાનું જણાવ્યું છે. આ જ પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યમાં ય સિનિયર સિટીજનો પર હુમલો થવાની 12 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી.ગુજરાતમાં જામનગરમાં 12, સુરેન્દ્રનગરમાં 29 ,નર્મદામાં 20 ઘટનાઓ બની હતી જેમાં સિનિયર સિટીજનો પર હુમલા થયા હતાં. સિનિયર સિટીજનો પર હુમલો થવાની ઘટનામાં પોલીસે આખાય રાજ્યભરમાંથી કુલ મળીને 1335 ગુનેગારોને પકડી જેલ ભેગા કર્યા હતાં. જોકે, ગૃહ વિભાગે એ વાત કબૂલી છેકે, સિનિયર સિટીજન પર હુમલો કરનારાં 21 આરોપી હજુય પોલીસ પકડથી બહાર છે. પોલીસ આ આરોપીઓ ને પકડી શકી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments