Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરૂચમાં મકાન ધરાશાયી થતા એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત, બે લોકો ઇજાગ્રસ્ત

Webdunia
સોમવાર, 21 માર્ચ 2022 (10:38 IST)
ભરૂચના બંબાખાનાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી થયું છે. જેમાં ઊંઘમાં જ આખો પરિવાર કાટમાળમાં દબાઈ જતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પરિવારના માતા પિતા સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડીને આવી ગયા હતા.


હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના કુંભારિયા ઢોળાવમાં આવેલું એક મકાન ધરાશાયી થયું છે. જેમાં એક છોકરો, બે યુવતીના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.આ પરિવાર રાતે આ મકાનમાં સૂતો હતો ત્યારે જ અચાનક ઉપરથી મકાન ધરાશાયી થયું હતુ. જેના કાટમાળમાં સૂતેલો પરિવાર દબાયો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આ ગોઝારી ઘટના બાદ પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છે. પરિવારના ત્રણ બાળકોના મોત નીપજ્યાના સમાચાર આવ્યા છે. જ્યારે માતા પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments