Webdunia - Bharat's app for daily news and videos

Install App

થોભી જશે બસના પૈડા, હવે જીએસઆરટીસીના કર્મચારીઓ આંદોલનના મૂડમાં

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:54 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂરી કરાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓનો ભારે મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. 
 
રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગો અને જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે, તો બીજી તરફ જગતનો તાત પણ સરકાર સામે બાંયો ચઢાવી બેઠો છે. ત્યારે હવે એસટી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે પડ્યા છે.
 
અમદવાદ સહિત રાજ્યભરના એસ ટી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે.આજથી  ગીતામંદિર બસ સ્ટેન્ડ સહીત રાજ્યના દરેક એસ.ટી ડેપો પર રિસેસ દરમિયાન કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરુદ્ધ સૂત્રચ્ચાર કર્યા હતાં. પોતાની પડતર માંગણીઓને લઇને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ દર વખતે સરકાર તરફથી માત્ર કોણીએ ગોળ લગાવવામાં આવે છે અને માંગણીઓ પૂરી કરવામાં આવતી નથી.
 
જ્યાં સુધી સરકાર પડતર માંગો નહિ સ્વીકારે ત્યાં સુધી નક્કી કરેલા કાર્યક્રમો મુજબ આંદોલન કરશે. આ સાથે જ એસટી કર્મચારીઓએ 22 તારીખ મધ્ય રાત્રિથી રાજ્યભરમાં એસટી બસના પાઈળ થંભાવી દેવાની ચીમકી આપી છે. 
 
અમદાવાદ એસટી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે, 22 તારીખ મધ્યરાત્રિથી એસટી બસના પૈડા થંભી જશે.જ્યાં સુધી સરકાર પડતર માંગો નહિ સ્વીકારે ત્યાં સુધી નક્કી કરેલા કાર્યક્રમો મુજબ આંદોલન કરશે, બેઠકમાં આંદોલનની રણનીતિ નક્કી કરાઇ તે દરમિયાન આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments