Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાના મઢના દ્વાર નવરાત્રીમાં ભક્તો માટે ખુલ્લા રહેશે,

Webdunia
શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (15:16 IST)
કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આગામી નવરાત્રિમાં ભાવિકો માં જગદંબાના દર્શન કરી શકશે. જો કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાના પગલે ઉજવણી બાબતે હજુ સ્પષ્ટતા થઈ નથી અને તંત્રના નિર્ણય પર મીટ મંડાઇ છે.  બે ચૈત્ર નવરાત્રી અને ગયા આસો મહિનામાં મંદિર બંધ હતું. પરંતુ આ વર્ષે નવરાત્રીમાં માતાના મઢના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
કચ્છમાં માતાના મઢ ખાતે સામાન્ય સંજોગોમાં અશ્વિન નોરતામાં પગપાળા અને વાહનોમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે માતાના દર્શન માટે દ્વાર ખુલ્લાં રાખવાનો નિર્ણય થયા પછી હવે મુંબઈથી તો પદયાત્રીઓ નીકળી પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે તા. 6 ઓક્ટોબરના રોજ અહીંયા ઘટ સ્થાપન સાથે પર્વનો પ્રારંભ થશે. ભાદરવા વદ અમાસ અને બુધવારે રાત્રે 8:30 વાગે જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે સ્થાપન વિધિ કરવામાં આવશે, એ પછી તા. 7 ઓક્ટોબરથી અશ્વિન નવરાત્રીનો પ્રારંભ થશે. તા. 12 ઓક્ટોબર ને મંગળવારના રોજ રાત્રે જગદંબા પૂજન અને શ્રીફળ હોમ કરવામાં આવશે.
 
બહુ લાંબા સમય પછી આ નવરાત્રિમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રહેવાના હોવાથી ભાવિકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને હવે ટૂંક સમયમાં જ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી પણ માતાના મઢ આવવા માટે ભાવિક ભકતો પગપાળા અથવા વાહનોમાં નીકળી પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments