Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઈ પ્રતિવર્ષ યોજાતો વરાણાનો મેળો સતત બીજા વર્ષે પણ નહીં યોજાય

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (10:40 IST)
રાજ્યભર સહિત દેશમાં કોરોનાના હાહાકાર જોવા મળી રહ્યો છે. જેના પગલે રાત્રિ કરફ્યું જેવા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના ઘણા મોટા મંદિરો તેમજ મોટા આયોજનો રદ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક સ્થગિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આસ્થાનું પ્રતિક ગણાતા વરણા ખાતે આ વર્ષે મેળાનું આયોજન નહી થાય. 
 
વરાણા ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પ્રતિવર્ષ યોજાતો મેળો સતત બીજા વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓમાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ નિવારવા વરાણા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
 
સમી તાલુકાના વરાણા ખાતે લાખો શ્રદ્ધાળુઓના શ્રદ્ધાના કેન્દ્ર સમા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પ્રતિવર્ષ મહા સુદ બીજથી મહા સુદ પૂનમ સુધી ચાલનારો લોકમેળો યોજાય છે. 
 
ચાલુ વર્ષે કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ શ્રદ્ધાળુઓને સંક્રમણનું જોખમ ટાળવા વરાણા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આગામી તા.૦૨ ફેબ્રુઆરીથી તા.૧૬ ફેબ્રુઆરી સુધી મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments