Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમરપાડામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, બે કાંઠે વહેવા લાગી દક્ષિણ ગુજરાતની નદીઓ

Webdunia
બુધવાર, 19 ઑગસ્ટ 2020 (11:08 IST)
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતની તાપી, ઔરંગા, પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને કાવેરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના પગલે આ નદી કિનારાના કાંઠા વિસ્તારના ગામોમાં જળમગ્ન બન્યા છે. નદીકાંઠાના ગામોમાં હજુ પાણી ઓસર્યા નથી.
દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. 
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઔરંગા નદી 6.71 મીટરે વહી રહી છે. જેને લઈને વલસાડની ઔરંગા નદી પર કલેક્ટર સહીત અધિકારીઓનો કાફલો મોડી રાત્રે ઔરંગા નદીની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.
માંડવી તાલુકાના આમલીડેમમાં પાણીની સતત આવક વધતી રહેતા 18મી ઓગસ્ટના રોજ સાંજે 6.00 વાગ્યા સુધી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. 115.80 મીટરની ઉંચાઈ ધરાવતાં તથા 115 મીટરના રૂલ લેવલ સાથે હાલમાં 114.70 મીટરની જાળવી રાખી 8213 ક્યૂસેક ઈનફ્લો સાથે 9260 ક્યૂસેક આઉટફ્લો રહ્યો હતો. 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 83.59% વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં 7 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે. સરદાર સરોવર ડેમમા 54.48% પાણીનો જથ્થો ભરાઈ ચુક્યો છે. 205 જળાશયોમાં 64% કરતા વધુ જળસંગ્રહ થયો છે. 
આગામી સપ્તાહમાં તા. તા.18 થી 22 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bihar fire- બિહારના પટનામાં ભીષણ આગની ઘટના; હોટેલ બળીને ખાખ થઈ ગઈ, કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ લોકો ચોંકી ઉઠ્યા

ભાવનગર સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.

Video શું છે વિચિત્ર ચહેરાવાળા બાળકનું સત્ય, જાણો શિવપુરીમાં બકરીએ અનોખા બાળકને જન્મ આપ્યો

દેશને મળશે 6 નવી વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી.

મેરઠ બિલ્ડિંગ અકસ્માતઃ 9 લોકોના મોત, 5 ઘાયલ, 2 લોકો હજુ પણ ફસાયેલા છે, બચાવ ચાલુ છે

આગળનો લેખ
Show comments