Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Corona update - કોરોના સંક્રમિતોની સંખ્યા 80 હજારને પાર, 63,710 લોકો સાજા પણ થયા

Webdunia
બુધવાર, 19 ઑગસ્ટ 2020 (08:15 IST)
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ  1126 કેસ નોંધાયા હતા. સુરતમાં 7,  સૌરાષ્ટ્રમાં 6, અમદાવાદમાં ચાર, કચ્છમાં બે અને વડોદરામાં એક એમ વધુ 20 દર્દીઓના મૃત્યુ થતા કોરોના મહામારીથી ગુજરાતમાં અત્યાર સુધીમાં કૂલ 2822 નાગરિકોનો ભોગ લેવાયો છે. ગુજરાતમાં કોરોના વાઈરસનો પહેલો કેસ 18મી માર્ચે રાજકોટ અને સુરતમાંથી મળ્યો હતો. મંગળવારે કોરોના કહેરના ચાર મહિના અને એક રીતે 154માં દિવસે ગુજરાતમાં કોવિડ 19 વાઈરસથી 80,942 નાગરિકે ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગે મંગળવારે જાહેર કરેલી વિગતો અનુસાર વિતેલા 24 કલાકમાં નવા ઉમેરાયેલા 1126  કેસો સામે 1131  દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં સારવાર બાદ 63.710  દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. મંગળવાર સાંજની સ્થિતિએ રાજ્યમાં સારવાર હેઠળના કુલ 14,410  એક્ટિવ કેસો પૈકી 78ને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે.
 
સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 89,  સુરતમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 65,  જામનગર કોર્પોરેશનમાં 53, મોરબીમાં 46,  પંચમહાલમાં 39, રાજકોટમાં 33, દાહોદમાં 28, ભાવનગર કોર્પોરેશનમાં 27, બનાસકાંઠા અને ભરૂચમાં 26-26 કેસ નોંધાયા છે.
 
આજે કેટલા દર્દી થયા સાજા
 
રાજ્યમાં આજે કુલ 1131 દર્દી સાજા થયા હતા અને 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 14,15,598  ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments