Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મંદિરોના દ્વાર ખૂલ્યાં પરંતુ મોલમાં લોકોની પાંખી હાજરી જોવા મળી

Webdunia
સોમવાર, 8 જૂન 2020 (14:25 IST)
રાજ્યમાં 2 મહિના અને 20 દિવસ બાદ મંદિરોના કમાડ આજથી ખુલ્યા છે. પ્રભુના દર્શન કરીને લૉકડાઉનમાં ત્રાહિમામ થયેલા ભક્તોે આજે ધન્યતા અનુભવી છે. રાજ્યના મોટાભાગના મંદિરો આજથી ખુલ્યા છે તો અનેક મંદિરો હજી 1 અઠવાડિયા બાદ ખુલશે. રાજ્યમાં સોમનાથ, દ્વારકા, શામળાજી સહિતના મોટા મંદિરો ખુલી ગયા છે. તો શક્તિપીઠ અંબાજી, સાળંગપુર હનુમાન, વીરપુર જલારામ બાપાના સ્થાનો ખુલ્યા નથી. જોકે, આજે મંદિર ખુલતા જ જાણે મેઘરાજા સોમનાથ દાદા પર અભિષેક કરતા હોય એવા દૃશ્યો સર્જાયા હતા. સોમનાથમાં અમી છાંટણા વચ્ચે આજથી જય સોમનાથ, હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ દર્શન કર્યા હતા.જગત મંદિર દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ભક્તોએ દર્શન કર્યા હતા. મોઢે માસ્ક, સેનિટાઇઝેશન સાથે ભક્તોએ દ્રારકાધીશના દર્શન કર્યા હતા.સોમનાથ મંદિરના પરિસરમાં આ સેનિટાઇઝેશન કેબિનો ઉભી કરાઈ છે. જેવી રીતે પહેલાં સિક્યોરિટી ચેક થતું હતું એમ હવે ભક્તોને પહેલાં સેનિટાઇઝ કરવામાં આવશે ત્યારબાદ સુરક્ષા તપાસ કરીને તેમને પ્રવેશ આપવામાં આવશે.મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 2 ગજની દૂરની ચક્કર રાખીને ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ પ્રવેશના નિયમોના અંતર સાથે જ ભક્તોએ દર્શન કરવા એન્ટ્રી લેવાની રહેશે.જગત મંદિર દ્વારકામાં જય દ્વારકાધીશ, રાજાધિરાજના દર્શન દ્વારકાવાસીઓ ઉમટી પડ્યા હતા. ભક્તોને મોઢે માસ્ક બાંધવુ હવે ફરજિયાત છે ત્યારે આવી રીતે તમે પણ દર્શને જઈ શકશો.ઉત્તર ગુજરાતમાં શામળાજીનું મંદિર પણ આજથી ખૂલી ગયું હતું. આ મંદિર ખુલતાની સાથે જ આજે ત્યાં દર્શન કરવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા. મંદિરમાં સેનિટાઇઝરના મશીન મૂકવામાં આવ્યા છે અને પ્રવેશ દ્વારા પર ભક્તોના નામ નોંધવામાં આવી રહ્યા છે.શામળાજી મંદિરના પ્રવેશ દ્વારા પર આ પ્રકારનું સેનિટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાંથી સેનિટાઇઝર લઈને ભક્તોએ હાથ સ્વચ્છ કરતા રહેવા પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments