Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની નવી 750 કરોડની SVP હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડ્યું

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (16:37 IST)
અમદાવાદમાં 750 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી વીએસ એટલે કે SVP હોસ્પિટલની ત્રીજી બેદરકારી સામે આવી છે. શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ એસવીપીના 4 ઓપરેશન થિયેટરમા પાણી ટપકવા લાગતા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને પગલે ઓટી બંધ કરવાની ફરજ પડી અને ઓપરેશનો અટવાયા હતા. જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓટીમાં રિપેરિંગ કામ કરવા માટે દિવાલ તોડવાની ફરજ પડી હતી.
કુલ 32 ઓપરેશન થિયેટરમાંથી 16 જ ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવ્યા હતા. તેમાં પણ 16માંથી 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડવા લાગતા હાલ 12 જ ઓપરેશન થિયેટર ચાલી રહ્યા છે. હોસ્પિટલના 15માં માળે ફ્લોર પર પાણી ભરતાં દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરતા જણાવાયું હતું કે, માત્ર બારીઓમાંથી પાણી આવ્યું હતું. બીજી તરફ ધાબામાંથી કન્સ્ટ્રક્શન કામની ખામીને કારણે વરસાદી પાણી 15માં માળે ફરી વળતા વહેતા થયેલા વીડિયો બાદ તંત્રએ તબીબોને પણ ધમકાવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.
2 ઓગસ્ટના રોજ એસવીપી હોસ્પિટલની બીજા માળે પીઓપીની છત નીચે પડવાની ઘટના બની હતી. તે સમયે પણ કન્સ્ટ્રક્શનમાં રહેલી ક્ષતિઓ બહાર આવી હતી. આ અંગે એસવીપી હોસ્પિટલના સીઈઓ રમ્યકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે પવન હોવાથી બારીઓ ખુલ્લી રહેતા વરસાદી પાણી અંદર આવ્યું હતું. જોકે હવે આવી ઘટના ન બને તે માટે અમે તકેદારી રાખીશું.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments