Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાસકાંઠામાં વાવના કોરેટી ગામમાં તળાવના પાણીનો કલર બદલાઈ જતાં લોકોમાં આશ્ચર્ય

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (15:50 IST)
વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. એમાં તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે, જેને લઈને વિસ્તારના તેમજ આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ સાત દિવસ અગાઉ અચાનક જ બદલાઈ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઊમટ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જોકે આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે.પીંક-ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી ઉદભવે છે, જેમાં આબોહવા અને તેમની નીચે ખંડની જળવિજ્ઞાન, ખાસ કરીને ખારાશનું સ્તર જવાબદાર હોય છે. સમગ્ર વિશ્વમાં મીઠાના સરોવરોનો નારંગી/ગુલાબી રંગ ઘણીવાર લીલી શેવાળ ડુનાલીએલા સલિનાને આભારી છે. વિશ્વમાં પીક સરોવર એ એક પ્રકારના સોલ્ટ લેક હોવાનું માલુમ પડ્યું છે.કોરેટી ગામના આ કિસ્સાએ લોકોમાં આશ્ચર્ય પેદા કર્યું.જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પમાડ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments