Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણી લો ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ ક્યારથી થશે

Webdunia
બુધવાર, 5 ડિસેમ્બર 2018 (12:49 IST)
આગામી માર્ચની ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓને લઈને આજે ગુજરાત શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી જેમાં બોર્ડ પરીક્ષાઓનું ટાઈમટેબલ નક્કી કરવામા આવ્યુ છે.જે મુજબ ૭મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે.જો કે હજુ સુધી બોર્ડ દ્વારા વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો નથી.
દર વર્ષે ધો.૧૦ અને ૧૨ સાયન્સ તથા ધૅો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માર્ચમા લેવાય છે ત્યારે આગામી માર્ચ ૨૦૧૯ની પરીક્ષાઓની તારીખો અને વિગતવાર ટાઈમટેબલ નક્કી કરી દેવાયુ છે.એક બે દિવસમાં શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઈટ પર ટાઈમટેબલ મુકી દેવાશે.જાણવા મળતી  માહિતી મુજબ ૭મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થશે.જેમાં ૭મી માર્ચે પ્રથમ દિવસે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પેપરો હશે અને લગભગ ૨૦મી સુધીમાં મોટા ભાગના મહત્વના વિષયો સાથેની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે.
બોર્ડ દ્વારા આ વર્ષે પણ પેપરો વચ્ચે એક એક દિવસની રજા ગોઠવવામા આવી છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચ દિવસ જેટલી પરીક્ષાઓ વહેલી શરૃ થનાર છે.ગત વર્ષે ૧૨મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થઈ હતી.હાલ ધો.૧૦,ધો.૧૨ સામાન્ય પ્રવાહઅ ને ધો.૧૨ વિ.પ્ર.ના બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં ધો.૧૦માં ૧૦.૫૦ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૧.૩૦ લાખથી વધુ અને ધો.૧૨ સા.પ્રવાહમાં ૪ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા વધશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments