Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતની ગજેરા સ્કૂલમાં સરકારની મંજૂરી વગર ધોરણ-8 ના વર્ગો શરૂ કરાયા

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (14:05 IST)
શાળાના સંચાલકો પોતાની મનમાની કરતા હોય તેવી સ્થિતી સુરત શહેરમાં જોવા મળી રહી છે. અમરોલી વિસ્તારમાં આવેલી ગજેરા હાઈસ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ના વર્ગ શરૂ હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા હજુ તો એ દિશામાં વિચારણા શરૂ કરાય છે કે ધોરણ છ અને આઠ ના વર્ગો શરૂ કરવામાં આવે. પરંતુ તે પહેલા જ શાળાના સંચાલકો જાણે ભૂલી ગયા હોય તે રીતે વિદ્યાર્થીઓ ના જુના જોખમે શાળા શરૂ કરી દીધી છે. 
 
 ગજેરા હાઇસ્કુલ સુરતની કેટલીક નામાંકિત સ્કૂલો પૈકીની એક છે. આવી સ્કૂલો પણ પોતાના વિદ્યાર્થીઓ ના જુના જોખમ ઊભા કરે તેવા નિર્ણયો લે છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે. બાળકોના સ્વાસ્થ્યને લઇને સરકાર જ્યારે આટલી ગંભીર છે ત્યારે શાળાના સંચાલકો કેમ બેદરકાર થઇ રહ્યા છે તે મોટો પ્રશ્ન છે. કોરોના સંક્રમણ ના શરૂઆતના તબક્કાથી અત્યાર સુધીમાં સરકારે સૌથી વધુ કોઈની ચિંતા કરવી હોય તે શાળા અને બાળકોને લઈને છે. 
 
 છેલ્લા ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાળકો છેલ્લે ત્રણ દિવસથી શાળામાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા જે પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને શાળાના વર્ગખંડોમાં હાજર રાખવા. ગજેરા સ્કૂલ માં તો ગેરકાયદેસર રીતે સરકારની મંજૂરી વગર ધોરણ-૮ ના વર્ગો શરૂ થઈ ગયા પરંતુ એટલું પૂરતું ન હોય વર્ગખંડના બેન્ચ ઉપર ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. જે જોતા સ્પષ્ટ થાય છે કે શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી.
 
 ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ગજેરા સ્કૂલ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે. આ બાબતે શાળાના સંચાલકો હજી મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે કે શાળાને મંજૂરી ન હોવા છતાં ધોરણ 8ના વર્ગ કેવી રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી હવે આ બાબતે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments