Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો, અમદાવાદ શહેરમાં 11 નવા કેસ

Webdunia
શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (11:29 IST)
અમદાવાદ શહેરમાં 47 દિવસ બાદ પહેલીવાર 11 નવા કેસ નોંધાયા છે. અગાઉ 31 જુલાઈએ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં સતત 34મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં 7 દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બર કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. સતત 61મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.
 
રાજ્યમાં કુલ રસીકરણ 5.57 કરોડને પાર થઇ ગયું છે. 3.96 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 1.61 કરોડ લોકોને બન્ને ડોઝ અપાઇ ગયા છે. હજૂ પણ 18 વર્ષ ઉપર વયજૂથમાં 96 લાખ લોકોને એકપણ ડોઝ મળ્યો નથી. શુક્રવારે એક જ દિવસમાં રાજ્યમાં 22 લાખથી વધારે રસીકરણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments