Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કિન્નરોએ દિકરાના જન્મ પર ઓછા પૈસા આપનાર પિતા પર હૂમલો કર્યો

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (15:14 IST)
ઘરમાં જ્યારે પણ સારા પ્રસંગ આવશે છે ત્યારે કિન્નરો ઘરે આવીને દાપું લઇ જતાં હોય છે અને આપણે તેમના રાજી ખુશીથી રૂપિયા આપતા હોઇએ છીએ. તેઓ લઈને જતાં પણ રહે છે, પરંતુ સુરતમાં તો કિન્નરોની દાદગીરીનો મામલો બહાર આવ્યો છે. જેમાં કિન્નરોને ઓછું દાપું આપવામાં આવતા એક યુવકને ઇજા પહોંચાડી હતી. આપને જણાવી દઈએ કે સુરતાના ગોડદરાનાં એક ઘરમાં 31 ઓગસ્ટન્બ રોજ ગેહરીલાલ કસ્તુરી ખટીકને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો. જેની જાણ મંગળવારે થતાં સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નરો તેમના ઘરે આવ્યાં હતાં. કિન્નરો ત્યાં દાપું લેવા માટે આવ્યા હતા. કિન્નરોએ ગહેરીલાલ પાસે 21 હજાર રુપિયા દાપું માગ્યું હતું. જે બાદ પિતાએ 7 હજાર રુપિયા આપ્યાં હતાં. જેમાં તેમને દાપું ઓછું લાગતા પુત્રના પિતાને માર મારીને અર્ધનગ્ન થઇ ગયા હતાં. અને આ દરમિયાન બે કિન્નરોએ પિતાનું માથું દિવાલ સાથે અથાડતા ગંભીર ઇજા થતાં બેભાન થયા હતાં. આ જોતા કહેવાતા કિન્નરો ડરીને ત્યાંથી ભાગી ગયા હતાં. જે બાદ ગહેરીલાલને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર છે તેથી આઇસીયુમાં ખસેડ્યો હતો. ગોડાદરા માનસરોવર સોસાયટી ખાતે રહેતા 32 વર્ષનાં ગેહરીલાલ કસ્તુરી ખટીક પાનનો ગલ્લો ચલાવે છે.ગહેરીલાલનાં પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તે લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments