Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના આગ કાંડમાં બે બિલ્ડરોની ધરપકડ, નાયબ ઈજનેર સસ્પેન્ડ કરાયા

Webdunia
સોમવાર, 27 મે 2019 (12:17 IST)
સરથાણા જકાત નાકા નજીક તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં તા. 24મીએ બપોરે લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે બિલ્ડરોની ધરપકડ કરી છે. જેની પૂછપરછના અંતે સુરત મહાનગરપાલિકાના કેટલાક લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો ભાંડો ફૂટવાની શક્યતા છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના પૂર્વ ડેપ્યુટી ઇજનેર અને હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર (સિવિલ) વિનુ કે પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો છે. આ અંગે બે બિલ્ડરો હરસુલ વેકરિયા, જિગ્નેશ સવજી પાઘડાળ અને ડ્રોઇંગ ક્લાસિસના સંચાલક ભાર્ગવ મનસુખ બુટાણી સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાને સોંપાઈ હતી. તપાસનીશ અધિકારી આર.આર. સરવૈયાએ કહ્યું હતું કે ત્રણ દિવસમાં પોલીસે કુલ 17નાં નિવેદનો લીધાં છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના જે તે સમય ફરજ પર હાજર અધિકારીઓની તપાસ કરાવી હતી. તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, વિનુ પરમારે તક્ષશિલા આર્કેડ વાળી મિલકતની સર્ટીફિકેટ ઓફ રેગ્યુલેશન (સીઓઆર) અને ઇમ્પેકટ ફીની મંજૂરીમાં વિસંગતતા માલૂમ પડી હતી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments