Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદના બિઝનેસમેને કારમાં ઝેરી દવા ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Webdunia
મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (12:26 IST)
અમદાવાદમાં વ્યાજખોરોનો ફરી એકવાર આતંક સામે આવી રહ્યો છે. બે જ દિવસમાં વ્યાજખોરોના છ કિસ્સા સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકોએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો, કેટલાક લોકોને ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે અમદાવાદમાંથી વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 
 
મળતી માહિતી મુજબ અમદાવાદના વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
 
હિમાંશુભાઈએ દવા પી લીધી હોવાનો મેસેજ બાબુભાઇ નામના વ્યક્તિને પણ કર્યો હતો. બાબુભાઇ વટવામાં જ નોકરી કરતા હોવાથી અને નજીકમાં જ હોવાથી હિમાંશુને શોધતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હિમાંશુભાઈને કારમાં દવા પીધેલી હાલતમાં જોયા હતા અને ધીરુભાઇના કોલ પણ હિમાંશુના મોબાઇલમાં આવી રહ્યા હોવાથી તેમણે ફોન ઉપાડ્યો હતો અને હિમાંશુ દવા પીધેલી હાલતમાં હોવાનું તેમને જણાવ્યું હતું.
 
જોકે તેમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતાં. હાલમાં તેઓ એલજી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ ભાનમાં છે. હિમાંશું વરિયા સેટેલાઈટ વિસ્તારમાં રહે છે.
 
અમદાવાદના બિઝનેસમેન હિમાંશુ વરિયાએ આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયામાં એક સુસાઈડ નોટ મુકી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી. સુસાઈડ નોટ મુક્યા બાદ હિમાંશુએ ઝેરી દવા પીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે  ત્રણ મહિના પહેલા હિમાંશુભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments