Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાતના સરહદી ગામડાઓમાં કરા પડ્યાં

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (12:05 IST)
દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રની હદમાં આવેલા ગામોમાં વહેલી સવારે કમોસમી વરસાદ સાથે જોરદાર કરા પડતાં ખેડૂતોમાં અફરાતફરી મચી ગઈ હતી. શિયાળો પૂરો થવા આવ્યો છે ત્યારે મોસમમાં આ પ્રકારના પરિવર્તનથી ખેડૂતોમાં અને સ્થાનિક લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. વિગતો અનુસાર, ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ખાનદેશ, મરાઠાવાડા, વિદર્ભ વિસ્તારમાં રવિવારે સવારે 35 થી 40 મિનિટ સુધી કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.

મોસંબી આકારના કરા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે ધુલિયા સહિત આજુબાજુના જિલ્લામાં કમોસમી વરસાદ પડવાથી લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મરાઠાવાડા વિસ્તારના જાલના જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ જવા પામી હતી.

અરબી સમુદ્રમાં નિર્માણ થયેલા લો પ્રેશરના કારણે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. આગામી દિવસોમાં ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા, જલગાંવ જિલ્લામાં પણ વરસાદ સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments