Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: તસ્કરોએ ગુદામાર્ગમાં છૂપાવ્યુ 32 લાખનું સોનું, પોલીસે કરી ધરપકડ

રીઝનલ ડેસ્ક
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (17:41 IST)
: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજેન્સ યૂનિટે સોમવારે થાઇલેન્ડના બેંગકોક શહેરથી તસ્કરી કરી સોનું લઇને આવી રહેલા બે લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 829 ગ્રામ સોનું મળી આવ્યું છે. બંને તસ્કરોએ તેમના ગુદામાર્ગની અંદર સોનું છુપાવ્યું હતું. તસ્કરો પાસેથી મળેલા સોનાની કિંમત લગભગ 32.37 લાખ રૂપિયા છે.
 
કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્ત ઇનપુટ પર કાર્યવાહી કરતા તેમણે આ તસ્કરોને ઝડપી પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તસ્કરોએ ધરપકડથી બચવા માટે સોનાને ટર્પેન્ટાઇનમાં લપેટી તેને તેમના ગુદામાર્ગની અંદર છૂપાવ્યું હતું. કલાકોની પૂછપરછ બાદ આ લોકો પાસેથી સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
 
વધુમાં તેમણે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી એક તસ્કર સોનાની તસ્કરી કરી એર ઇન્ડિયાની ફ્લાઇટથી બેંગકોકથી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવ્યો જ્યાં અન્ય યાત્રીને સોનું આપ્યું હતું. ત્યારબાદ બંને યાત્રીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. આ તસ્કરોએ અનુમાન લગાવ્યું હતું કે, ઘરેલું હવાઇ એરપોર્ટ પર વધારે કડક તપાસ નહીં થાય જેથી તેઓ બચી જશે.
 
જો કે, આ લોકો કસ્ટમ અધિકારીઓની પકડમાં આવી ગયા. જણાવી દઇએ કે, દેશમાં ટર્પેન્ટાઇનમાં લપેટી સોનું લાવવાની ઘટનાઓ ઘણો વધારો થયો છે. આ પ્રકારે ટર્પેન્ટાઇનમાં લપેટી લાવવાથી ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર તપાસ દરમિયાન સોનાને પકડી શકતું નથી. એટલા માટે તસ્કરોથી સોનું નિકાળવાનું હવે ઘણું મુશ્કેલ થઇ ગયું છે. આવા તસ્કરોને પકડવા માટે હવે માત્ર ગુપ્ત જાણાકરી જ મદદગાર સાબિત થયા છે. જો કે, તેમાં આ ખતરો રહે છે કે, નિર્દોષ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં જ ગત વર્ષે 10થી 12 કિસ્સા સામે આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments