Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકની સંભાળ રાખવા મહિલા કોર્પોરેટર ખડેપગે, બાળકની મેડિકલ કન્ડિશનની જાણકારી મેળવવા અલગ અલગ સાત ટીમો તપાસમાં લાગી

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (14:49 IST)
બાળકની સંભાળ રાખવા મહિલા કોર્પોરેટર સિવિલમાં માસૂમ સાથે આખી રાત રહ્યાં  ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી દઈ નાસી છૂટ્યો છે. ત્યારે છેલ્લા બાર-તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં લાગી ગઈ છે. 
 
હાલમાં ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે.ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી તેઓ દોડીને દરવાજા તરફ ગયા હતા. દરવાજા પાસે બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત બાળકને તેડી લઈ તેને શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેને ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.બાદમાં સ્વામીના કહેવાથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી, જેને પગલે પેથાપુર પોલીસ મથકના એએસઆઇ હર્ષરાજસિંહ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જેમણે ઉપરી અધિકારીને પણ બનાવની જાણ કરી હતી. શરૂઆતમાં બાળકને પેથાપુર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકની સારસંભાળ રાખવામાં રાખવામાં આવી હતી. 
ત્યારે થોડીવારમાં બાળક મળ્યાની જાણ થતાં વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન અને તેમના પતિ ડો. મનીષ પટેલ તાબડતોબ પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.પોલીસે ગુરુકુળના સીસીટીવી ચેક કરતાં એક યુવક બાળકને ઊંચકીને ગૌશાળામાં પ્રવેશી તેને મૂકીને નાસી જતો નજરે પડ્યો હતો. ત્યારે ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેના વાલી-વારસોને શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેટર દીપ્તિબેન પટેલે ગઈકાલ રાતથી જ બાળકની સારસંભાળ લઈ રહ્યાં છે. હાલમાં બાળકને મેડિકલ તપાસ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે, જ્યાં તેને જોઈને સૌકોઈ રમાડવા માટે પોતાની જાતને રોકી શક્યા નહિ. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા મયૂર ચાવડા પણ સવારે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકની મેડિકલ કન્ડિશનની જાણકારી મેળવી હતી તેમજ અલગ અલગ સાત ટીમો તપાસમાં લાગી છે. એલસીબી પીઆઈ જેએચ સિંધવ પણ પોતાની ટીમ સાથે હાલમાં ગુરુકુળ પહોંચીને તપાસ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments