Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં વધ્યો કોરોનાનો આતંક, કાબૂ મેળવવા માટે કલમ 144 લાગૂ

Webdunia
શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (10:21 IST)
ગુજરાતમાં હાલ દરરોજ કોરોનાનો કહેર વધી રહ્યો છે. જ્યાં એક તરફ કોરોના પર કાબૂ મેળવવા માટે સ્વૈચ્છિક તાળાબંધીની જાહેરાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વડોદરામાં કોરોના પર કાબૂ મેળવવા માટે કલમ 144 લાગૂ કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર થી 11 ઓક્ટોબર સુધી શહેરમાં કલમ 144 કલમ લાગૂ રહેશે.
 
વડોદરા શહેર પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે એક જાહેરનામું જાહેર કરીને વડોદરામાં કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી છે. શહેરમાં 144 લાગૂ થવાના લીધે હવે બેઠક, રેલીઓ, જુલૂસ વગેરે કરવાની પરવાનગી નહી મળે. આ કલમ બાદ એક જગ્યા પર ચારથી વધુ લોકો એકઠા થઇ શકશે નહી. 
 
વડોદરામાં અત્યાર સુધી કુલ 11,147 કોરોના કેસ નોંધાયા છે. તેમાંથી 1,702 કેસ એક્ટિવ છે, જ્યારે 172 લોકોના મોત થયા છે, જ્યારે 9,273 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં 61,904 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર થઇ ગઇ છે. તેમાંથી 1,408 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને  1,28,949  થઇ ગઇ છે. 
 
ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કારણે 14 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંકડો 3384 પહોંચી ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments