Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાળા સંચાલકોએ કરી ફી માફીની જાહેરાત, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ફી નહી વસૂલે શાળાઓ

Webdunia
શનિવાર, 29 મે 2021 (20:19 IST)
એક સમયે કોરોનાકાળમાં ફી મુદ્દે વિવાદના લઇને અમદાવાદની શાળાઓ ખૂબ ચર્ચામાં રહી હતી. ત્યારે આ આ વખતે શાળા સંચાલકોએ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફિ માફીની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરવામાં આવશે. 
 
કોરોનાથી મૃત્યુ પામેલા માતાપિતાના બાળકોને 2 વર્ષ માટે અમદાવાદની શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન મદદ કરાશે. વર્ષ 2020-21માં લીધેલી ફી પરત કરવામાં આવશે. જે બાળકના માતાપિતાને કોરોના થાય તેમની માસિક ફીમાં માફી અપાશે. 
 
અમદાવાદ શહેર સંચાલક મહામંડળ અભિયાન ‘સંગાથ’ મદદરૂપ થશે. 300 જેટલા શાળા સંચાલકોએ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. અન્ય શાળાઓ સાથે પણ આ મામલે વાટાઘાટ ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં મહત્તમ શાળા સંચાલકો જોડાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મહત્તમ શાળાઓ જોડાય તેવી શક્યતાઓ પણ છે.
 
શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલએ જણાવ્યું હતું કે બાળકોએ શાળા પરિવારના સભ્ય છે, જેના માટે લાગણી છે. ભૂતકાળમાં થયેલ અનુભવોના આધારે શાળા સંચાલક મંડળ જે વિદ્યાર્થીના માતા-પિતાને કોરોના થયો છે, તે મહિનાની ફીમાંથી પણ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ સંચાલક મંડળ તરફથી શહેરની ખાનગી શાળામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરાઇ રહી છે. વિદ્યાર્થીએ શાળામાં તેના માતા-પિતાના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ શાળામાં આધાર પુરાવા તરીકે દર્શાવશે તો તેને આ લાભ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments