Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 મહિના બાદ આજથી ધો 6 થી 8 નું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય થશે શરૂ

Webdunia
ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (11:30 IST)
લગભગ 18 મહિનાથી બંધ ધોરણ 6 થી 8 સુધીની સ્કૂલો શરૂ થઇ ગઇ છે. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર છે. સ્કૂલોનું કહેવું છે કે વાલીઓએ આવીને બાળકોની સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ આપશે. તેમણે કેટલીક ભલામણો આપી, જેને પુરા કરી લેવામાં આવ્યા છે. કેટલીક સ્કૂલોમાં અત્યારે વાલીઓની ભલામણ અનુસાર વ્યવસ્થાઓ થઇ નથી. એટલા માટે ગુરૂવારથી બાળકોને બોલાવશે નહી. 
 
સ્કૂલોએ વિદ્યાર્થીઓના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થા કરી છે. સ્કૂલોમાં ક્લાસ શણગારવામાં આવ્યા છે. સ્કૂલોએ ક્લાસીસનો ટાઇમિંગ આમ તો સવારે 8 વાગ્યાથી નક્કી કર્યો છે પરંતુ ઘણી સ્કૂલોમાં 8.30 વાગ્યાથી શરૂ થશે. જે સ્કૂલોએ 9-12 ના વિદ્યાર્થીઓ ભણે છે તેમની ટાઇમિંગમાં ફેરફાર થઇ શકે છે. 
 
ધોરણ 6 થી 8 સુધી સ્કૂલ ખુલતાં શહેરમાં 6 થી 12 ધોરણના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને બાળકો અભ્યાસ કરવા આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ એચએચ રાજગુરૂએ કહ્યું કે સ્કૂલોમાં તપાસ કરશે. 99 ટકા સ્ટાફને વેક્સીન લગાવવામાં આવી છે. 
 
શહેરની તમામ સ્કૂલોમાં 99 ટકા સ્ટાફને વેક્સીન લાગી ચૂકી છે. ફક્ત 1 ટકા એવા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બાકી છે જોકે કોઇ કારણસર વેક્સીન લઇ શક્યા નથી. સ્કૂલ સંગઠનના અનુસાર શહેરમાં 6 થી 12 સુધીની લગભગ 800 સ્કૂલ છે ,તેમાં લગભગ 20 હજાર ટીચિંગ સ્ટાફ અને લગભગ 10,000 નોન ટીચિંગ સ્ટાફ કામ કરે છે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન થઇ રહ્યું છે અથવા તેને જોવા માટે જિલ્લા શિક્ષન અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. 
 
રાજ્યમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો હોય પરંતુ હજુ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા યથાવત છે. નિષ્ણાંતોની આગાહી પ્રમાણે આ મહિને અથવા આવતા મહિને કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. તેવામાં રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ બાળકોના મનમાં કોરોનાનો ડર રહી શકે છે. તો વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલતા પહેલા કોરોનાનો ડર સતાવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments