Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાળા સંચાલકો સાથે સમાધાન નહીં થતાં સરકાર હાઈકોર્ટના શરણે

Webdunia
મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (12:49 IST)
કોરોનાના લીધે બંધ ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી ઉઘરાવવા મામલે થયેલી અરજી બાદ હવે સરકારે હાઇકોર્ટમાં નવી અરજી કરી છે. સરકારે અરજીમાં એવી રજૂઆત કરી છે કે,‘ખાનગી સ્કૂલ સંચાલકો સાથે સરકારે બે વખત બેઠક યોજી છે. બેઠકમાં હાઇકોર્ટના આદેશ મુજબ સરકારે ખુલ્લા મન સાથે સંચાલકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા, પરંતુ સંચાલકો ફી મામલે સમાધાન કરવા તૈયાર નથી. ફી મામલે હાઇકોર્ટ હુકમ કરે તે મુજબ સરકાર પગલા લેવા તૈયાર છે. લોકડાઉન બાદથી આજ દિન સુધી સ્કૂલ બંધ હોવા છતાં સ્કુલ સંચાલકો વાલીઓ પાસેથી ફરજિયાત ફી ઉઘરાવતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો નિકાલ કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને શાળા સંચાલકો સાથે ખુલ્લા મને બેઠક યોજીને સમાધાન કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે 17 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે બે બેઠક યોજી હતી,પરતું સંચાલકો સાથે અનેક પ્રયત્નો કરવા છતાં ફી મામલે કોઇ સમાધાન થયું નથી, જેના લીધે રાજ્ય સરકાર ફી મામલે નવો ઠરાવ કે સુધારો કરી શકી નથી.ફી મામલે હાઇકોર્ટ હુકમ કરે તે મુજબ રાજ્ય સરકાર પગલા લેવા તૈયાર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments