Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાકાળ બાદ આજથી શાળાઓમાં પરીક્ષા શરૂ, 27 ઓક્ટોબર સુધી ચાલશે પરીક્ષા

Webdunia
સોમવાર, 18 ઑક્ટોબર 2021 (13:10 IST)
રાજ્યમાં ધીમે ધીમે કોરોના કહેર ધીમો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં પ્રથમ વખત શાળાઓમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે, આજથી ગુજરાત બોર્ડના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા શરૂ થઈ છે. જેમાં તમામ નિયમોનું પાલન કરીને પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
 
રાજ્યની તમામ શાળાઓમાં આજથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે જે 27 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ગત વર્ષે કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે પ્રથમ વખત શાળામાં પરીક્ષા યોજાઈ રહી છે. જુદી જુદી શાળાઓમાં અલગ અલગ સત્રોમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. કોવિડ ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
અગાઉ તમામ શાળાઓમાં બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્રો આપવાનું નક્કી કરાયું હતું પરંતુ શાળાઓની રજૂઆત બાદ બોર્ડનું પ્રશ્નપત્ર વૈકલ્પિક હતું અને શાળાઓને પણ પ્રશ્નપત્ર તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments