Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક વધતા 25 ગામડાઓને કરાયાં એલર્ટ

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (17:28 IST)
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડૅમના પાણીની સપાટી વધતા નર્મદા નદીને કાંઠે આવેલાં 25 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં હતાં.
 
અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઉપરવાસમાં સતત વરસાદ અને મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડૅમમાંથી પાણી છોડવાને કારણે સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક વધી હતી. આ કારણે નવ દરવાજા 1.50 મીટર સુધી ખોલવા પડ્યા હતા.
 
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે રિવરબેડ પાવર હાઉસ મશીન અને ખોલાયેલા દરવાજાને કારણે 1.35 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ કારણે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ, અને કરજણ તાલુકાના 25 ગામોને અલર્ટ કરાયાં છે.
 
આ ગામડાંનાં નામ આ મુજબ છે : ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાલી, નાંદેરિયા ; શિનોર તાલુકાના અંબાલી, બરકલ, દિવેર, મલસાર, દરિયાપુર, મોલેઠા, ઝાંઝડ, માંડવા, શિનોર અને સુરાસમાલ ; કરજણ તાલુકાના પુરા, અલામપુરા, રાજળી, લીલાઇપુરા, નાની કોરળ, મોટી કોરળ, જુના સયાર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા અને અરાજપુરા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments