Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની 33 RTOમાં પુરતા કર્મચારીઓ ના હોવાથી નિયત સમયમાં કામગીરી થતી નથી

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (12:16 IST)
સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમન માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે અને ભારે ભરખમ દંડની રકમ લોકો પાસેથી વસુલાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા સહિત અનેક રીતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે લાઈસન્સ કે પીયુસીની વાત આવે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના 33 આરટીઓમાં 631 જગ્યાઓ ખાલી હોવાથી નિયત સમયમાં કામગીરી થતી નથી. બીજી તરફ સોમવારથી ટ્રાફિક નિયમના ભંગ બદલ 400 થી 900 ટકાનો વધારો કરતા કોંગ્રેસ 079- 41050774 નંબર પર મિસ કોલ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રાફિકના નિયમમાં રૂ. 400થી900 ટકાનો વધારો ઘટાડવાની માગણી કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, દંડમાં વધારાથી સરકારે પોલીસને પ્રજાને લૂટવાનો પરવાનો આપી દીધો છે. નિયમો કડક કરવામાં આવતા જે વાહનચાલકોને મોટર વ્હીકલ એકટ પ્રમાણેના સર્ટીફિકેટ કઢાવવાના છે, તેમને વિલંબ થઇ રહ્યો છે. સોમવારે કોંગ્રેસે વડોદરા, રાજકોટમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - આજે દેશ માટે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?

Monsoon Travel Tips- વરસાદની સિઝનમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન, વીકએન્ડ ટ્રિપ માટે છે પરફેક્ટ

ગજની ફિલ્મના વિલન અને મહાભારતના અશ્વથામા પ્રદીપ રાવતનુ મોત, છેલ્લા એક મહિનાથી કેંસર સામે ભીડી રહ્યા હતા બાથ

આગળનો લેખ
Show comments