Webdunia - Bharat's app for daily news and videos

Install App

રો-રો ફેરીમાં માવા-મસાલાની નાનકડી કોથળીને કારણે જહાજ મધદરિયે બંધ પડ્યું હતું

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (12:41 IST)
દહેજ-ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરીમાં સામેલ વોયેજ સિમ્ફની જહાજ ઘોઘાથી પાંચ નોટીકલ માઈલ દૂર દરિયામાં ખોટવાયું હતું. આ ફેરીનું એન્જિન દરિયામાં ગરમ થઇ જતાં તેને ત્યાં જ અટકાવવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે આ રોપેક્ષ ફેરીને બીજું કંઇ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં માવા-મસાલાની નાનકડી કોથળી ભારે પડી હતી. જેના કારણે જહાજનું એન્જિન ગરમ થઇ ગયું હતું અને બંધ કરવું પડ્યું હતું. આ ફેરીમાં તે સમયે ૪૬૧ મુસાફરો અને વાહનો હતો. પરંતુ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ જહાજના એન્જિનને ઠંડુ રાખતી કુલિંગ સિસ્ટમની પાઇપમાં પ્લાસ્ટિકની કોથળી ફસાઇ ગઇ હતી. જેના કારણે તેમાંથી પાણી પસાર થઇ શકતુ નહોતું અને તેનાથી એન્જિન ઓવરહીટ થઇ જતા તેને ત્યાં જ બંધ કરી દેવું પડ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બંધ પડેલું આ જહાજ હજુ દસ દિવસ સુધી ચાલુ થઇ શકે તેમ નથી કારણ કે રિપેરિંગ કરતા જ દસ દિવસનો સમય લાગશે.
જહાજના એન્જિનને ઠંડુ રાખવા માટે જે કુલિંગ સિસ્ટમ હોય છે તેમાં દરિયાનું જ પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. જો કે, દરિયાના પાણીમાં તરતી કોથળી પણ પાણી સાથે ખેંચાઇ આવતા તે પાઇપમાં ફસાઇ ગઇ હતી અને એન્જિનના કુલિંગ સિસ્ટમમાં ગડબડ ઉભી થઇ હતી. કુલિંગ સિસ્ટમ માટે જે પાણી સમુદ્રમાંથી ખેંચાય છે તે ખાસ ઉંડેથી નહીં પરંતુ ઉપરની સપાટીમાંથી જ ખેંચાય છે. જેના કારણે પાણી સાથે કાદવ પણ પાઇપમાં ખેંચાય આવે છે. કાદવના ભરાવાને લીધે પાઇપ આમ પણ સાંકડી થઇ ગઇ હતી અને તેમાં આ પ્લાસ્ટિકની કોથળી ફસાઇ જતા પાણી કુલિંગ સિસ્ટમ સુધી પહોંચી શકતું નહોતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments