Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની વરવી વાસ્તવિકતાનો ચિતાર - રોજ ૧૪ સ્ત્રીઓ અત્યાચારનો શિકાર બને છે

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (13:34 IST)
વાયબ્રન્ટ ગુજરાતમાં મહિલાઓ, યુવતીઓની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે કેમ કે,ભલે ભાજપ સરકાર એવી ડિંગો મારે કે,રાત્રે પણ મહિલાઓ બિન્દાસપણે હરીફરી શકે પણ કડવી વાસ્તવિકતા એછેકે, ગુજરાતમાં રોજ ૧૪ સ્ત્રીઓ બળાત્કાર,છેડતી,સેક્યુઅલ હેરેસમેન્ટ,અપહરણનો શિકાર બની રહી છે. વિકાસશીલ ગુજરાતમાં રોજ છ મહિલાઓ પર બળાત્કાર થાયછે. વર્ષ ૨૦૧૭ના ગૃહવિભાગના આંકડા પર નજર કરીએ તો,અમદાવાદમાં મહિલાઓ સલામત નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે તેનુ કારણ એછેકે,વર્ષ ૨૦૧૬ની સરખામણીમાં વર્ષ ૨૦૧૭માં બળાત્કાર અને છેડતીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેમાંય અમદાવાદમાં આવા કિસ્સા વધુ નોંધાયા છે.

અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કારના ૧૦૨ બનાવો બન્યાં છે જયારે યુવતી-મહિલાઓની છેડતીના ૩૧૭ કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં બળાત્કારના ૪૭૨ જયારે વર્ષ ૨૦૧૭માં ૪૭૯ ઘટનાઓ સામે આવી છે. રાજકોટમાં ય ૪૧,સુરતમાં ૫૮ અને વડોદરામાં ૨૧ બળાત્કારની ઘટના બની છે. આખાય રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓની છેડતીની કુલ મળીને ૬૩૧ ઘટનાઓ નોંધાઇ છે જેમાં અમદાવાદ શહર મોખરે રહ્યુ છે. દહેજને કારણે મહિલાઓ પર અત્યાચાર નોંધાયા હોય તેવી ઘટનાઓ પણવધી રહી છે. અમદાવાદમાં વર્ષ ૨૦૧૭માં ૧૩૩ કિસ્સા બન્યાં છે. અમદાવાદમાં બે વર્ષમાં દહેજને કારણે ૩૧ યુવતીઓ મોતને ભેટી છે. અન્ય શહેરની સરખામણીમાં અમદાવાદમાં મહિલા અત્યાચારના કેસો પ્રમાણમાં વધુ નોંધાયા છે. દહેજને લીધે મહિલા અત્યાચારમાં સુરત શહેર મોખરે રહ્યુ છે. આમ, ગુજરાતમાં મહિલાઓ અત્યાચારના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે જે કાયદા વ્યવસ્થાની બગડતી સ્થિતીનું ઉદાહરણ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments