Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajkot News - મોદીને આવકારવા રાજકોટ રોશનીથી ઝળહળ્યું

Webdunia
મંગળવાર, 27 જૂન 2017 (13:07 IST)
29 જૂનના  રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાજકોટ આવી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મોદીના રોડ શોના રૂટ પર આવતા રસ્તાઓને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે.  રાજકોટના આજી ડેમમાં સોમવાર સાંજ સુધીમાં 7.10 ફૂટ નર્મદા નીર આવી પહોંચ્યા હતા. 29મીએ આવી રહેલા મોદીને આવકારવા આજી ડેમ પર તિરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે સમગ્ર રાજકોટ શહેરને પણ સજાવાઇ રહ્યું છે.  આજી ડેમ નર્મદા નીરના અવતરણથી વગર વરસાદે ડેમની સપાટી 7.10 ફૂટે પહોંચી ગઇ છે.

એક સમયે ક્રિકેટ રમી શકાય એવા મેદાનમાં ફેરવાયેલા આજી ડેમમાં હાલ 80 એમસીએફટી નર્મદા નીરનો સંગ્રહ થઇ ચૂક્યો છે. 29 જૂને વડાપ્રધાન મોદી આવે ત્યારે 9 ફૂટની સપાટી કરવાની ગણતરીએ પૂરા ફોર્સથી નર્મદા નીર ઠલવાઇ રહ્યું છે. સૌની યોજના હેઠળ આજી ડેમ નર્મદા નીરથી ભરાઇ રહ્યો છે. સોમવારે રાત્રે ડેમની સપાટી 7.10 ફૂટ થઇ ગઇ હતી. રોજનું 22 થી 24 એમસીએફટી પાણી ડેમમાં ઠલવાઇ રહ્યું છે. 80 એમસીએફટી નર્મદા નીરનો સંગ્રહ થઇ ચૂક્યો છે.
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments