Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખોવાયેલા મોબાઇલ શોધવામાં રાજકોટ પોલીસ અવ્વલ: ત્રણ વર્ષમાં ૬ કરોડના ફોન લોકોને પરત કર્યા

Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (12:33 IST)
ગુજરાતભરમાં ખોવાયેલા મોબાઇલ શોધી આપવામાં અવ્વલ રાજકોટ પોલીસના સાઇબર સેલે છેલ્લા ત્રણ વર્ષ અને આઠ મહિનામાં આશરે છ કરોડથી વધુ કિંમતના છ હજાર જેટલા ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આજના ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા મોબાઈલ શોધવું મુશ્કેલ રહ્યું નથી. ગુજરાતભરમાં દર મહિને હજારો મોબાઈલ ખોવાતા હશે અને તેઓ પોલીસમાં ફરિયાદ પણ કરતા હોય છે ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે છ કરોડથી વધુના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. જેમાં રાજકોટ સાઈબર સેલે વર્ષ ૨૦૧૬માં કુલ એક કરોડ ૬૬ લાખ ૫૫ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૭માં કુલ એક કરોડ ૪૭ લાખ ૯૪ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૮માં કુલ બે કરોડ ૭૫ લાખ ૨૪ હજારની કિંમતનાં અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં કુલ એક કરોડ ૧૨ લાખ ૭૯ હજારની કિંમતનાં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા હતા. જોકે કોઈનો મોબાઇલ ખોવાય તો તેનું બિલ હોવુ જરૂરી છે. તેના આઇએમઈઆઈ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. ખોવાયેલો મોબાઇલ કોઈ ચાલુ કરી પોતાનું સિમકાર્ડ નાંખે એટલે લોકેશન ટ્રેસ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments