Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

Webdunia
સોમવાર, 11 જુલાઈ 2022 (12:56 IST)
વરસાદી સિસ્ટમ સક્રિય થતા આખા રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક વિસ્તારોમાં હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
 
સૌરાષ્ટ્ર કચ્છમાં ૧૨મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. આજે સવારે ૬ વાગ્યાથી લઈને વરસાદની રમઝટ ચાલુ છે. બોડેલીમાં ૧૧, જાંબુઘોડામાં ૮ અને ક્વાંટમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબકી ગયો છે.
 
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૯૩ તાલુકાઓમાં મેઘ મહેર થવા પામી છે. સૌથી વધુ વરસાદ ધરમપુર, વાંસદા, ચિખલી, કપરાડા, ખેરગામ, આહવા અને ઉમરપાડામાં નોંધાયો છે. તે ઉપરાંત જાેઈએ તો સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
 
જ્યારે આજે સવારની વાત કરીએ તો ૫૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વઘઈ, દેડિયાપાડા, આહવા, ડોલવણ, સાગબારા, વાંસદા અને મુંદ્રામાં દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
 
હવામાન ખાતની આગાહી પ્રમાણે, ૧૦ જુલાઈએ નવસારી તથા વલસાડમાં ૮ ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ૪થી ૮ ઈંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.૧૧ જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં ૮ ઈંચથી વધુ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે.
 
જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં ૪થી લઈ ૮ ઈંચ વરસાદ વરસી શકે છે. ૧૨ જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ૮ ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ૪થી લઈને ૮ ઈંચ સુધી વરસાદની સંભાવના છે.
 
રાજ્યમાં હજુ સુધી ૧૦.૧૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૦.૪૭ ટકા વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં કચ્છ મોખરે હોય છે. પરંતુ આ વખતે અત્યારસુધીની સ્થિતિ અલગ છે. કચ્છમાં મોસમનો સૌથી વધુ ૫૬ ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો ૧૮.૪૧ ટકા વરસાદ નોંધાયો છે.
 
કચ્છમાં ૧૯૯૨થી ૨૦૨૧ની સરેરાશ જોવામાં આવે તો ચોમાસા દરમિયાન ૧૭.૯૫ ઈંચ વરસાદ પડતો હોય છે, જેની સરખામણીએ આ વર્ષે ૧૦.૨૩ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં મોસમનો ૩૭.૬૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૫.૯૦ ટકા વરસાદ નોંધાયો છે.
 
ઉત્તર ગુજરાતમાં ૫.૩૯ ઈંચ સાથે મોસમનો ૧૯.૦૬ ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫.૮૨ ઈંચ સાથે મોસમનો ૧૮.૪૧ ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ૪ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments