Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશી આફત: રાજ્યના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, વીજળી પડવાથી 11ના મોત

Webdunia
બુધવાર, 1 જુલાઈ 2020 (11:27 IST)
રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે કચ્છમાં પણ વરસાદ થતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગમાં બે કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. 
 
જ્યારે જામનગરમાં 3 ઇંચ વરસાદ અને ગીર સોમનાથમાં 2 ઇંચ જેટલો વરસાજ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે વરસાદની સાથે અનેક સ્થળોએ વીજળી ત્રાટકવાની ઘટના પણ બની છે. જેના લીધે રાજ્યમાં વીજળી પડવાથી 11 લોકોનાં મોત થયાં છે. 
 
અમદાવાદના  દસક્રોઈ તાલુકાના જેતલપુરમાં વીજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના સમસપુર ગામે પણ વજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. બોટાદના સરવઈ- લાઠીદડ વચ્ચે વચ્ચે વીજળી પડતા 60 વર્ષના વૃદ્ધનું અને 5 વર્ષની બાળકીનું મોત થયું છે, તો નવી સરવઈ ખાતે પણ વીજળી પડતા 17 વર્ષની યુવતીનું પણ મોત થયું છે. એક જ દિવસમાં વીજળીના કારણે બોટાદ જિલ્લામાં 3ના મોત થયા છે. જ્યારે કાલાવડના નિકાવા પંથકમાં પણ એક યુવાન આકાશી વીજળીનો ભોગ બન્યો હતો. 
 
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં પાંચ લોકો આકાશી આફતનો ભોગ બન્યા હતા. જેમાં લાલપુર નજીક રક્કા ખટીયા વાડી વિસ્તારમાં માતા અને પુત્ર અને ખંભાળીયાના વિરમદળમાં કાકી-ભત્રીજીએ વીજળી પડવાથી મોતને ભેટ્યા હતા.
 
ખંભાળિયામાં એક મંદિર પર વીજળી પડતા ગુંબજ તૂટી ગયો હતો. મહેસાણાના લીંચમાં ઝાડ પર વીજળી પડતાં ઝાડને ચીરી નાખ્યું હતું તેમજ ઝાડ સાથે બાંધેલ ભેંસનું મૃત્યુ થયું હતું. મેઘરજના ઓઢા કસાણામાં વીજળી પડતાં વૃક્ષ સળગ્યું હતું. ત્યારે જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીજળી પડવાથી એક ખેતમજૂર ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments