Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કમોસમી વરસાદઃ આગામી 12 કલાક ભારે હોવાની હવામાન વિભાગની આગાહી

Webdunia
શુક્રવાર, 6 માર્ચ 2020 (14:51 IST)
હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. હજુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના મતે હજુ આગામી 12 કલાકમાં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મતે, આજે પણ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમેધારે તો કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગના મતે, દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, દ્ગારકા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠામાં પણ વરસાદી છાંટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે સવારથી કચ્છ તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ખાંભાના ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત દેખાઈ રહ્યા છે. ઘઉં, જીરૂ, કપાસ, કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના મોટા બારમન, ચોતરા, નાના બારમન સહિતના પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદી ઝાપટું પડી રહ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોઈએ તો મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. મહિસાગર જિલ્લામાં ઘઉં, મકાઈ, બાજરીમાં કમોસમી વરસાદના કારણે બગડી જવાના એંધાણ વર્તાયા છે. નવસારીના ચીખલી વિસ્તારમાં પણ વરસાદના અમી છાટણા થયા છે. કમોસમી વરસાદનું દક્ષિણ ગુજરાતમાં પણ આગમન થયું છે. નવસારીના હાઈવે પર વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. બીજી બાજુ ખેડૂતોમાં કેરીના પાક બગડવાની ચિંતા સેવાઈ રહી છે.
આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકશાનની ભીતિ સેવી છે. બીજી બાજુ અરવલ્લીના માલપુર અને મેઘરજમાં પણ કમોસમી વરસાદ છે. માલપુરમાં વરસાદથી મેળાના વેપારીઓને હાલાકી પડી રહી છે. મેળાના વેપારીઓના મંડપ પવનની ઝાપટે ઉડ્યા છે જેના કારણે તેમને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉભરણ, અણિયોર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments