Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયના ૫૯ તાલુકાઓમાં વરસાદ: વઘઈમાં સવા બે ઈંચ વરસાદ

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2019 (14:20 IST)
ગાંધીનગર: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૭/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો. રાજ્યના ૫૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનના ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

મળતી માહિતી અનુસાર વઘઈ તાલુકામાં ૬૭ મી.મી., જયારે વાંસદા અને આહવામાં ૪૮ મી.મી. એટલે કે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ચીખલીમાં ૩૭ મી.મી., સુબિરમાં ૩૫ મી.મી., કપરાડામાં ૩૨ મી.મી., ડોલવણમાં ૩૧ મી.મી.  અને ધરમપુરમાં ૨૬ મી.મી. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 

ગણદેવીમાં ૨૨ મી.મી., નવસારીમાં ૨૦ મી.મી., વ્યારા, જલાલપોર અને ખેરગામમાં ૧૮ મી.મી., સુરતના માંડવીમાં ૧૫ મી.મી., મહુવામાં ૧૪ મી.મી. અને સોનગઢમાં ૧૨ મી.મી. એટલેકે અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે અન્ય ૪૩ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

વલસાડના કપરાડા તાલુકામાં અને દાહોદના ઝાલોદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં ૧૩ મી.મી., ઝાલોદમાં ૧૧ મી.મી., માંગરોળમાં ૬ મી.મી., સુરતના માંડવીમાં ૪ મી.મી. અને અન્ય ૧૦ તાલુકાઓમાં ૩ મી.મી.થી ઓછો વરસાદ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં વરસ્યો છે.  

રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૯૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૭૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૨૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૦.૨૦ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments