Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સ્થાપના દિને રાહુલ ગાંધી ગુજરાતમા સભા સંબોધશે

Webdunia
શનિવાર, 22 એપ્રિલ 2017 (13:29 IST)
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી પહેલી મેના ગુજરાત સ્થાપના દિને ગુજરાતમાં જનસભા સંબોધશે. ભરૂચ જિલ્લાના ડેડિયા પાડા ખાતે આદિવાસી જનઅધિકાર સભાને રાહુલ ગાંધી સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણનો રાહુલ ગાંધીએ સ્વીકાર કરીને ગુજરાત મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, રાહુલ ગાંધી પહેલી મે ના રોજ ભરૂચના ડેડીયાપાડામાં આદિવાસી જનઅધિકાર સભાને સંબોધન કરશે.

સભામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તે માટે પ્રદેશ કોંગ્રેસે અત્યારથી જ તૈયારી આદરી છે. રાહુલ જનસભામાં આદિવાસીઓને સરકાર જમીનના અધિકાર આપવામાં નિષ્ફળ નીવડી છે તે સહિત ગુજરાત અને કેન્દ્ર સરકારની કામગીરી પર માછલાં ધોશે. આદિવાસી મતક્ષેત્રમાં કોંગ્રેસની પકડ મજબૂત થાય તે માટે આ જનસભાનું આયોજન કરાયું છે. ગુજરાત વિધાનસભામાં આદિવાસી અનામત બેઠકોની સંખ્યા ૨૭ છે, જે પૈકી ૧૫ બેઠકો કોંગ્રેસ પાસે છે. આ બેઠકોમાં ગાબડું ન પડે અને બેઠકો વધે તે આશયે કોંગ્રેસે જનસભા સિરીઝ શરૂ કરી છે. અંબાજીથી શરૂ કરવામાં આવેલી જનસભા બાદ અત્યાર સુધીમાં કુલ ત્રણ જનસભા યોજવામાં આવી છે અને આ ચોથી જનસભા ડેડિયાપાડા ખાતે યોજવામાં આવશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતમાં બોલાવવા કોંગ્રેસને બીજી વાર આમંત્રણ આપવું પડયું હતું. અગાઉ આદિવાસી અધિકાર યાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. જોકે જે તે વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ આચારસંહિતાનું ગ્રહણ નડતાં યાત્રા મુલતવી રાખવી પડી હતી,હવે કાળઝાળ ગરમીમાં સળંગ યાત્રા ચાલુ રહે તો કાર્યકરોની હાજરી પાંખી રહેશે તેવી ભીતિને ધ્યાને રાખી યાત્રાને બદલે જનસભા સિરીઝ શરૂ કરી હતી. જનસભામાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના સાંસદ એહમદ પટેલ, પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ પણ જોડાવાના છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments