Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને તાબડતોબ બોલાવ્યા, ભરતસિંહ અને ગેહલોત દિલ્હી ઉપડી ગયા

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (12:23 IST)
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તથા પ્રભારી આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. આજે વહેલી સવારે ભરતસિંહ સોલંકી અને અશોક ગહેલોત દિલ્હી રવાના થયા છે. તેઓ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આક્રમક પ્રચાર છતાં થયેલી હાર અને ગુજરાતની ભુલો સુધારી અન્ય રાજ્યોમાં કઇ રીતે કરવો પ્રચાર તેની ચર્ચા કરાશે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની થયેલી હારની સમીક્ષા આજે દિલ્હીમાં હાથ ધરાશે. વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની  ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે હકારાત્મક વાતાવરણ હતું. છેલ્લા 22 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી સામે રાજ્યમાં સત્તાવિરોધી લહેર જોવા મળતી હતી.

જોકે તેનો ફાયદો કોંગ્રેસ પાર્ટી ઉપાડી શકી નહોતી અને માત્ર 80 બેઠકો સાથે એને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. જોકે હજુ સુધી કોંગ્રેસના નેતાઓને ગુજરાતની હારની કળ વળી નથી. આ હારના કારણોની ચર્ચા આજે હાથ ધરાશે. આજની હાઇકમાન્ડ સાથેની બેઠક અંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે રાહુલ ગાંઘી સાથે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ સંગઠને કરેલા કામનું વિશ્લેષણ કરી દેશમાં અન્ય રાજ્યોમાં આવનારા ચૂંટણીમાં કઇ રીતે પ્રચાર કરવો તેની ચર્ચા કરાશે. આ સિવાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટેની ચર્ચા થશે. ભરતસિંહ સોલંકીએ એમ પણ જણાવ્યું કે રાજ્યસભાની ચુંટણીનો નિર્ણય હાઇકમાન્ડ કરશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આક્રમક રણનીતિ અપનાવનાર કાંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે બેઠક અંગે જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય એજન્ડા કોંગ્રેસની હારના કારણોની સમીક્ષા કરવાનો છે. ગુજરાતનો કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ખૂબ અલગ હતો. રાહુલ ગાંધી ગુજરાતના તમામ ખૂણે પહોંચ્યા અને તેમને લોકોના આશીર્વાદ મળ્યા. આમ, આજની બેઠકમાં આવનારી લોકસભામાં કઇ રીતે વિધાનસભામાં મળેલી બેઠકો પ્રમાણે લોકસભાની સીટો જીતવી અને લીડ જાળવી રાખવી તે અંગે પણ ચર્ચા થશે. આ સાથે જ ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર અને નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે કેવા પગલાં લેવા તે નક્કી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments