Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રો કબડ્ડી 7: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ બેંગાલ વૉરિયર્સ સામે ટકરાશે, બંને ટીમો જીત માટે લગાવશે જોર

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:50 IST)
અમદાવાદ: વીવો પ્રો કબડ્ડી લીગ સિઝન 7ની હોમ લેગની રમતોમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે જે રીતે શરૂઆત કરી તે બાબત ભૂલી જવા જેવી છે. આમ છતાં જ્યારે આપણે તેમને પૂછીએ છીએ કે 'હાઉ ઈઝ ધ જોશ 'તો તેનો જવાબ 'હાઈ સર ' મળે છે. યુવા અને ઉર્જાવાન જાયન્ટસનો આ આત્મવિશ્વાસ  કટોકટીભરી સ્થિતિમાં પણ જળવાઈ રહ્યો છે. પ્રો કબડ્ડી લીગના વિજેતા કોચ મનપ્રીત સિંઘ ની ટીમ બુધવારે બંગાળ સામે ગુજરાતના સાથે ટક્કર આપવા આગળ ધપશે.

જય અને પરાજય એ રમતનો એક હિસ્સો છે, મહત્વની બાબત આત્મવિશ્વાસ છે.  હાલમાં અમે સળંગ કેટલીક મેચ ગુમાવી છે. પરંતુ અમે વધુ એક વાર ફાઇનલ સુધી પહોંચવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે ''ખેલાડીઓ સ્થિતિની ગંભીરતા સમજે છે અને તેમણે સખત પરિશ્રમ કર્યો છે. ખેલાડીઓ ઘર આંગણે રમે છે તેનુ તેમની ઉપર કોઈ દબાણ નથી. હકિકતમાં જાયન્ટસ ઘર આંગણે રમવાનો આનંદ માણે છે.'' સૌ પ્રથમ તેમણે ઘરઆંગણે સતત બે મેચ ગુમાવી છે. પહેલાં તમિલ થલાઈવાઝ સામે અને તે પછી તેલુગુ ટાઈટન્સ સામે.

તેલુગુ ટાઈટન્સ સામેની મેચનુ ઉજળુ પાસુ કુશળ ડિફેન્ડર પરવેશ ભૈસ્વાલની  તેજસ્વી રમત હતી. તેણે 7 ટેકલ પોઈન્ટ મેળવીને ટાઈટન્સને નિયંત્રણમાં રાખ્યા હતા, ખાસ કરીને તેલુગુના રેઈડર્સ સુરજ દેસાઈ અને ફરહાદ રહિમીને નિયંત્રણમાં રાખ્યા હતા અને વધુ પોઈન્ટસ મેળવવા દીધા ન હતા. છેલ્લી બે સિઝનમાં સચીને જે જાદુ કર્યો હતો તે બતાવવાનો હજૂ બાકી છે. આમ છતાં ઑલરાઉન્ડર રોહિત ગુલીયાએ પોતાની ચપળતા અને ઝડપ મારફતે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

રસપ્રદ બાબત એ રહી છે કે જાયન્ટસ રમતમાં પાછા પડ્યા નથી પણ તેમણે છેલ્લી 5-7 મિનીટમાં કાબુ ગુમાવ્યો હોય તેવુ બન્યુ છે. મનપ્રીત સિંઘ કહે છે કે “ અમે ખાસ કરીને મેચની છેલ્લી 5-7 મિનીટમાં ઘણીવાર અધિરા બની જઈએ છીએ. તેથી અમને ઘણુ નુકશાન થયું છે.અમે આ ઉણપ દૂર કરવા પ્રયાસ કર્યો છે. ટીમ વિજેતા બનવાની તમામ લાક્ષણિકતાઓ ધરાવે છે.”

બેંગાલ વૉરિયર્સ અંગે વાત કરતાં મનપ્રીત સિંઘ જણાવે છે કે “તે 20 પોઈન્ટસ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જાયન્ટસે 7 રમતમાં 18 પોઈન્ટ મેળવ્યા છે. બેંગાલ સામે વિજય અમારા જુસ્સામાં વધારો કરશે જ પણ સાથે સાથે ઘર આંગણાના ચાહકોને પણ આનંદિત બનશે, તેમણે પોતાની ટીમને અગાઉ આવી સ્થિતિમાં જોઈ નથી. ” તેમણે કહ્યું કે “ બંગાળ એ ખૂબ જ સમતોલ ટીમ છે. આ સિઝનમાં તે સારૂ રમી રહી છે. અમે એકદમ ધસી જઈશુ નહી પણ પોઈન્ટ ટુ પોઈન્ટ રમત રમીશું.  આ મેચ જીતવાથી જાયન્ટસ માટે સારી સ્થિતિ ઉભી થશે. ”

મનપ્રીત સિંઘ હંમેશાં કયા 7 ખેલાડી રમશે તે અંગે રહસ્ય જાળવી રાખતા હોય છે. આમ છતાં પણ વૉરિયર્સ સામેના 7 ખેલાડીઓમાં ઝાઝો ફેરફાર થવાની સંભાવના જણાતી નથી. તેમણે છેલ્લે જણાવ્યું હતું કે “ તમારે ટીમ ઉપર વિશ્વાસ મુકવાની જરૂર છે. તે ફરીથી રમતો જીતી શકે છે. ”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments