Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાન્યુઆરીમાં જ PM મોદીએ ઉદઘાટન કર્યું તે 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની POPની છત તૂટી

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (15:08 IST)
જાન્યુઆરીમાં જ PM મોદીએ ઉદઘાટન કર્યું તે  750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની POPની છત તૂટી
રૂ.750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી છે. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે.આ પહેલા 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે SVPનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 18 જાન્યુઆરીથી જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે.ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવા શ્રેષ્ઠ સાધનો એસવીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આ તમામ સુવિધાઓ વચ્ચે આજે છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ પહેલા ચોમાસામાં જ બહાર આવી ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments